બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / Big News: Education Minister Chudasama's U-turn on school fees in Gujarat, new decision likely soon
Kiran
Last Updated: 02:12 PM, 26 June 2021
ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન લીધો છે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરેવી તોડી છે, અને પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે
ગઇ કાલે શિક્ષણમંત્રીએ એક નિવેદનમાં શાળાઓમાં ફી માફી યથાવત રહેશે તેવું જણાવ્યું હતું પરતું આજે ફરી ફેરવી તોડી આજે ફરી પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે અને ફી માફી નવો નિર્ણય ન આવે ત્યા સુધી જ રહેશે તેવું જણાવ્યું છે.
25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન
શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા વાલીઓ એ હાસકારો અનુભવ્યો હતો પરતું આજે ફરી વાલીઓમાં ફીને લઈને ચિંતા જોવા મળી રહી છે ફી વધારા મુદ્દે સરકાર નવો નિર્ણય લે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા શાળા સંચાલક મંડળોએ વિરોધ કર્યો હતો પરતું શિક્ષણમંત્રીએ આ વિરોધ વચ્ચે પણ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી પરતું આજે ફરી ફેરવી તોડી ફી વધારો નવા નિર્ણય સુધી જ માન્ય રહેશે તેવું જણાવ્યું છે જેથી હવે વાલીઓમાં ફીને લઈ ચિંતા વધી ગઈ છે.
ફી માફી મુદ્દે શાળા મંડળ સંચાલકોએ કર્યો વિરોધ
મહત્વનું છે કે ગયા વર્ષે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફી અપાઈ હતી જેને લઈ ખાનગી શાળા સંચાલકોએ ફી માફી સામે વિરોધ ઉઠાવ્યો હતો સમગ્ર મામલે ખાનગી શાળા સંચાલક મંડળનું નિવેદન આપતા જણવ્યું હતું કે 50 ટકા વાલીઓએ ફી ભરવામાં ઉદાસિનતા દર્શાવી રહ્યા છે જે વાલીઓ નોકરી કરે છે તેમને પગાર આવે છે તો ફી માફી શું કામ આપવામાં આવે તેમજ જે વાલીઓની પરિસ્થિતિ ખરાબ છે તેને સ્કૂલો સામેથી મદદ કરે છે આમ 25 ટકા ફી માફીને કારણે સ્કૂલોની વ્યવસ્થા ખોરવાઈ છે છેલ્લા બે વર્ષથી ફી ન આવવાને કારણે સ્કૂલોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતા શાળા સંચાલક મંડળે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
ફી માફી, નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જ રહેશે
બીજી તરફ શિક્ષણમંત્રીએ શાળાઓમાં 25 ટકા ફી માફી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો આજે હવે શિક્ષણમંત્રીએ ફેરવી તોડી 25 ટકા ફી માફી સમગ્ર વર્ષ દરમિયાન યથાવત રહેશે કે કેમ તે અંગે હજુ નક્કર નિર્ણય નહી કર્યો હોવાનું જણાવ્યું હતું ગત વર્ષે લેવાયેલા 25 ટકા ફી માફીનો નિર્ણય નવા નિર્ણય સુધી જ ચાલુ રહેશે તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે જેથી હવે આખા વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી મળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ શાળાઓની ફીને લઈને સરકાર ટૂંક સમયમાં જ નવો નિર્ણય લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime