ભરતસિંહ સોલંકીએ પોતાના રાજકીય જીવનને લઇને પુનઃ નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ જણાવ્યું કે તેઓ ફરીથી સક્રિય રાજકારણમાં પરત આવી રહ્યા છે.
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
ભરતસિંહ સોલંકી ફરી સક્રિય રાજકારણમાં
બોરસદ ખાતે એક કાર્યક્રમાં કરી જાહેરાત
પારિવારિક વિવાદના લઈ લીધો હતો બ્રેક
ભરતસિંહ સોલંકી ફરી સક્રિય રાજકારણમાં આવશે
ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પારિવારિક વિવાદના કારણે થોડા સમયમાં સક્રિય રાજકારણમાંથી શોર્ટ ટાઇમનો બ્રેક લઈ રહ્યા છે.ત્યારે આજે બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મજયંતિના વંદન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી.જેમાં તેઓએ પુનઃ જણાવ્યું હતું કે, તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.ભરતસિંહ સોલંકીના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો વ્યાપી ગયો છે.
પારિવારિક વિવાદના કારણે સક્રિય રાજકારણમાંથી લીધો હતો બ્રેક
મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના રાજકીય જીવનને લઇને સૌથી મોટી જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, 'I am Taking a break from this direct active politics. હાલ હું શોર્ટ ટાઇમનો બ્રેક લઈ રહ્યો છું. જે 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કે 6 મહિનાનો પણ હોઇ શકે. But I am having a break.'
ગુજરાતની રાજનીતીમાં હલચલ મચી
ઉલ્લેખનીય છે કે,ભરતસિંહ સોલંકી અને તેમની પત્નીએ વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે 3જી જુન 2022ના રોજ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, તેઓ થોડા સમય માટે સક્રિય રાજકારણમાં બ્રેક લઈ રહ્યાં છે. ત્યારે આજે બોરસદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.