બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Beginning to break the grand alliance, the veteran leader announced his separation from the party
ADVERTISEMENT
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ આજે મહાગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી છે. તેઓ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પાછા જઇ શકે છે.
જીતનરામ માંઝીએ ઘણી શરતો મૂકી
ADVERTISEMENT
રાષ્ટ્રીય જનતા દળ સમક્ષ મહાગઠબંધનમાં રહેવા માટે જીતનરામ માંઝીએ ઘણી શરતો મૂકી હતી, પરંતુ નીતિશ કુમાર સાથે તેમની વધતી નિકટતાના અહેવાલો વચ્ચે તેજસ્વી યાદવે તેમની કોઈ માંગણીને ગંભીરતાથી લીધી ન હતી. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી માંઝીએ આજે આ નિર્ણય લીધો છે. હવે આગામી કેટલાક દિવસોમાં, તેઓ ફરી NDAમાં પરત ફરી શકે છે.
શું માંઝી હવે નીતીશનો કરશે બચાવ ?
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર ચૂંટણી બાદ તેમના ધારાસભ્ય કાઉન્સિલર પુત્રને પણ તેમના પ્રધાનમંડળમાં સમાવી શકે છે. રાજ્યના દલિત રાજકારણમાં માંઝી માં NDAમાં પરત ફરવાથી વધુ ગરમી આવશે, કારણ કે જ્યારે રાષ્ટ્રીય જનતા દળના દલિત નેતા નીતિશ કુમાર પર દલિત સમાજના હિતોની અવગણના કરવાનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે માંઝી હવે નીતીશના બચાવમાં વલણ અપનાવી શકે છે.
બિહારમાં નવેમ્બરમાં છે ચૂંટણી
ADVERTISEMENT
બિહારની કુલ 243 વિધાનસભા બેઠકો માટે આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે. ભાજપ રાજ્યમાં JDU અને LJP સાથે જોડાણમાં છે અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારમાં સત્તામાં પરત લેવાની અપેક્ષા રાખે છે. NDA હવે સીધા આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ગઠબંધન સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.