બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Be careful if you are investing in mutual funds bill passed in Lok Sabha
Kishor
Last Updated: 05:06 PM, 25 March 2023
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારોને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 24 માર્ચના રોજ લોકસભામાં સરકાર દ્વારા ફાઇનાન્સ બીલમાં પસાર કરાયું હતું. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડસ સાથે પણ સુધારો કરાયો છે જેને પગલે આ ફંડમાં કેટલીક સ્કીમ પરના લાભ પર કાતર ફેરવી દેવામાં આવી છે. આ લાભ બંધ થતાં હવે તા. 1 એપ્રિલ 2023 થી અગાઉ કરતા વધુ ચુકવણી કરવી પડશે.
1 જાન્યુઆરી 2023 થી આ નવા સુધારાને અમલમાં
લોકસભામાં પસાર કરવામાં આવેલ બિલમાં જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કે જ્યાં ઈક્વિટી શેર પાંચ ટકા જ વધુનું રોકાણ નથી એટલે હવે તેને ટૂંકા ગાળામાં મૂડી રોકાણ તરીકે ગણાશે. આગામી 1 જાન્યુઆરી 2023 થી આ નવા સુધારાને અમલમાં મૂકવામાં આવશે. ડેટ મ્યુચ્યુઅલ ફંડની ગણતરી બે રીતે કરાઈ છે. જેમાં કોઈએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમા રોકાણ કરીને કમાણી કર્યા બાદ ત્રણ વર્ષ આગાઉ રિટર્ન સાથે રૂપિયા ઉપાડી લીધા હોય તો તેને ઇન્કમટેક્સના સ્લેબ મુજબ ટૂંકા ગાળાના લાભનો દર લાગુ થાય છે એટલે કે રિટરણને આવક તરીકે ગણી ઇન્કમટેક્સના સ્લેબના આધારે તેના પર ટેક્સ લાગે છે.જ્યારે બીજી તરફ કોઈ રોકાણકાર ત્રણ વર્ષ પછી તેના રૂપિયા ઉપાડે છે તો તેને ૨૦ ટકા સુધી લોંગ ટર્મ કેપેસિટી ગેનસ આપવો પડે છે.
ફાઇનાન્સ બીલ દ્વારા કરાયા આ સુધારા
ફાઇનાન્સ બીલ દ્વારા કરવામાં આવેલા સુધારા મુજબ હવે ઓપ્શન વેચાણ પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ એટલે કે એસટીટી એક કરોડ રૂપિયાના ટનઓવર પર જે આગાઉ 1700 હતો તે વધારીને 2100 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે ફ્યુચર્સ અને ઓપશનનો વેપાર મોંઘો થઈ જશે. Stt માં 23.5 ટકા જેટલો વધારો થયો છે. બીજી બાજુ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વેચાણ પર 1 કરોડના ટર્નઓવર પાર એસટીટી 10,000 થી વધારીને 12500 કરી દેવામાં આવ્યો છે. જે 25 ટકા ગણાય રહ્યો છે. એસટી થી વધારાના આ નિર્ણયને પગલે શેર બજારમાં પણ નકારાત્મક અસર વર્તાઈ હતી આજે સેન્સેક્સ 300 પોઈન્ટ ના ઘટાડા સાથે 57,527 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 132 ના કટાકા સાથે 16,945 પર અટક્યો હતો.
નવી દરખાસ્તમા કરાયેલી જોગવાઈ
નવી દરખાસ્ત મુજબ કોઈપણ ટેક્સપેયરની વાર્ષિક આવક 7,00,100 રૂપિયા હશે તો તેને 25,010 ટેક્સને બદલે 100 રૃપિયા જ ચૂકવવા પડશે. આમ સરકારે કરમુક્તિનો વ્યાપ વધારી દીધો છે. પરંતું જે કરદાતાની આવક 7,01,000 હશે તો તેને 25,100નો ટેક્સ તો આપવો જ પડશે સાથે સેસ 26,140 ચૂકવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime