બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / barricades removed at lal chowk srinagar

જમ્મૂ કાશ્મીર / 15 દિવસ બાદ શ્રીનગરના લાલ ચોકથી હટાવાયા બેરિકેડ, સ્થિતિ સામાન્ય

Published By: Mehul

Last Updated: 08:08 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ધીરે-ધીરે પ્રતિબંધો હટી રહ્યા છે. આ ક્રમમાં શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલ ચોક પર ઘંટાઘર પાસેથી બેરિકેડ હટાવી દેવાયા છે. 15 દિવસ બાદ અહીં લોકો અને વાહનોની અવરજવરની અનુમતિ મળી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સોમવારે ખોલવામાં આવેલ મોટાભાગની પ્રાથમિક વિદ્યાલયોમાં કોઇ વિદ્યાર્થી દેખાયો નહોતો પરંતુ સરકારી ઓફિસોમાં કર્મચારીઓની ઉપસ્થિતિમાં સુધાર થયો. એમણે બતાવ્યું કે શહેરના સિવિલ લાઇન્સ ક્ષેત્રોના કેટલાક ભાગોમાં વાહનોની અવરજવર વધી છે. પરંતુ શ્રીનગરના અમુક વિસ્તારો અને કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં અવર જવર ઓછી રહી છે. 

અધિકારીએ બતાવ્યું કે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં છુટ આપવામાં આવી છે. જોકે, કેટલાક સ્થાનો પર કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવાના હજુ બાકી છે. કાશ્મીર ખીણમાં બજાર બંધ રહ્યા અને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ સતત 16માં દિવસે પ્રભાવિત રહી. જ્યારે મોટાભાગના ક્ષેત્રોમાં લેન્ડલાઇન ટેલીફોન સેવાઓ પણ પ્રભાવિત રહી હતી.

જોકે સરકારનું કહેવું હતું કે ખીણમાં કેટલાક ભાગોમાં યુવાઓના સમૂહો અને સુરક્ષા દળો વચ્ચે નાની મોટી ઘર્ષણની ઘટનાના સમાચાર બની છે. કેટલાક લોકોના ઘાયલ થયાની સૂચના છે પરંતુ સ્થિતિ સામાન્ય બની રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Lal chowk National News Political News Srinagar jammu kashmir jammu and kashmir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ