આવનારા 5 દિવસમાં બેંકની સાથે જોડાયેલું કોઈ પણ કામ પતાવવા ઈચ્છો છો તો જાણી લો કયા દિવસોએ બેંક બંધ રહેશે. આરબીઆઈએ રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે.
આવનારા 5 દિવસ બેંક રહેશે બંધ
જાણો કયા કારણોથી બેંકમાં રહેશે રજા
આરબીઆઈએ જાહેર કરી છે રજાની તારીખો
ભારતીય રિઝર્વ બેંકે હોલિડે કેલેન્ડર જાહેર કરી દીધું છે જેના અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બેંકમાં કુલ 12 દિવસ રજા રહેવાની છે. જો તમે આવનારા 5 દિવસમાં બેંકનું કામ પતાવવા ઈચ્છો છો તો તમે જાણી લો કે તમારા શહેરમાં ક્યારે બેંક બંધ રહેશે. આ અઠવાડિયામાં અનેક તહેવારો હોવાથી અને અઠવાડિક રજા હોવાથી બેંકના કામ થઈ શકશે નહીં. તો આજે જ પ્લાન કરી લો તમારા તમામ કામ.
આ તારીખોએ બેંક રહેશે બંધ
8 September 2021 – શ્રીમંત શંકરદેવા તિથિ
આ નિમિત્તે ગુવાહાટીની બેંકમાં રજા રાખવામાં આવશે.
9 September 2021 – હરતાલિકા તીજ
આ તહેવારના કારણે અને ઈન્દ્રજાત્રાના કારણે ગંગટોકમાં બેંક બંધ રહેશે.
10 September 2021 – ગણેશ ચતુર્થી/ સંવત્સરી / વરસિદ્ધિ વિનાયક વ્રત
ગણેશ ચતુર્થીની સાથે અન્ય તહેવારો હોવાથી આ દિવસે બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ગંગટોક, બેલાપુર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર અને પણજીમાં બેંક બંધ રહેશે.
11 September 2021 – મહિનાનો બીજો શનિવાર
આ દિવસે મહિનાનો બીજો શનિવાર છે જેના કારણે પણજીમાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે પણ બેંક બંધ રહેશે.
11 September 2021 - રવિવારની રજા
દરેક રાજ્યોમાં આ દિવસે બેંકમાં રજા રહેશે.