બ્રેકિંગ ન્યુઝ
આદિવાસી સમાજ આમ તો કોઈ પણ પ્રકારના વિવાદોમાં કે વિરોધમાં આવતો નથી. પણ જ્યારે જ્યારે તેમને અગવડતા પડે છે ત્યારે તેઓ ચોક્કસથી વિરોધ પ્રદર્શન કરે છે. એવો જ કઈ ઘાટ પાલનપુરમાં ઘડાયો છે. પાલનપુરમાં આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીને પગલે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. આ વિરોધમાં આદિવાસી સમાજની સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડા છે. કાંતિ ખરાડીની આગેવાનીમાં આદિવાસીઓની ગાંધીનગર તરફ કૂચ કરી હતી.
ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
બનાસકાંઠામાં જાતિના દાખલા સહિત પડતર પ્રશ્નોને લઈ આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યો. પડતર પ્રશ્નો મુદ્દે પાલનપુર શહેરમાં આદિવાસી સમાજે વિરોધ કર્યો. જે પછી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન આદિવાસી સમાજે આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્યપાલ સુધી રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું સમાધાન થયું નથી. 3-3 વર્ષ પહેલા સપર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા આદિવાસી યુવાનોને હજુ ઓર્ડર આપવામાં આવ્યો નથી. આ સાથે જ આદિવાસી સમાજે તાત્કાલિક પડતર પ્રશ્નોની સમસ્યાનું સમાધાન કરવાની માગ કરી છે. આ માગનો સ્વીકાર ન થવા પર આદિવાસી સમાજે ગાંધીનગરમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વધુ વાંચો: 'જો મે કોઇની ભાવનાઓને ઠેસ...', ભાગેડુ લલિત મોદીના બદલાતા સૂર, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
જાતિના દાખલા કઈ જગ્યાએ કામ આવે છે.
જો જાતિના દાખલાના ઉપયોગની વાત કરવામા આવે તો તેનો ખાસ કરીને ઉપયોગ સરકારી નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, ફીમાં રાહત, અને સરકાર દ્વારા અપાતા વિવિધ અનામત લાભો (જેમ કે સબસિડી, સરકારી યોજનાઓ) મેળવવા માટે થાય છે, ખાસ કરીને SC,ST,SEBC ના ઉમેદવારોને આનો લાભ થયો હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.