બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Babar's descendants will provide a gold brick in the temple

અયોધ્યા / રામમંદિરનાં નિર્માણ સમયે બાબરનાં વંશજ આપશે આ ભેટ

Dharmishtha

Last Updated: 03:18 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા કેસને લઈને અમદાવાદમાં રહેતા બાબરીનાં વંશજ પ્રિન્સ યાકુબ તુસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રામમંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે સમગ્ર દેશે તેને સર્વમાન્ય ગણી શાંતિ સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો આપવો જોઈએ. અયોધ્યા રામમંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઈંટ દાનમાં આપીશ.

  • બાબરનાં વંશજ રામમંદિરમાં સોનાની ઈંટ આપશે
  • પ્રિન્સ યાકુબ તુસીએ કહ્યું,  અમારી પેઢીથી કલંક દૂર થયું
  • ભારતની એકતા કોઈ તોડી નહીં શકે

બાબર અયોધ્યા ગયા જ નથી

મોગલ બાદશાહન બાબરનાં વંશજ પ્રિન્સ યાકુબ તુસીએ એક જાણીતા અખબારને જણાવ્યું હતું કે બાબરને આક્રમણખોર તરીકે ચિતરવમાં આવે છે. તે સદતંર ખોટું છે. તેઓ ક્યારેય તેમનાં શાસન વખતમાં અયોધ્યા ગયા જ નથી.  બાબરએ બિનસાંપ્રદાયિક  મોગલ બાદશાહ હતાં.  તેમનાં શાસનમાં  ભારતીય સાંસ્કૃતિક વિરાસત જળવાઈ રહી, મહેસુલી આવક પણ સૌથી વધુ રહી હતી. તેઓ એવું માનતા હતાં કે  શાંતિ ભાઈચારાનો માહોલ બની રહે.

અમારી પેઢીથી કલંક દૂર થયું

પ્રિન્સ યાકુબ તુસીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, બાબરના નામ પર રામમંદિર તોડ્યાનું કલંક લાગ્યું હતું. વર્ષો સુધી આ કલંક યથાવત રહ્યું હતું, પણ આજે જ્યારે સુપ્રિમ કોર્ટે રામમંદિર બાંધવાનો ચુકાદો જાહેર કર્યો છે. ત્યારે ખરેખર મારા પૂર્વજ બાબર પરથી જ નહી આમારી પેઢી પરથી કલંક દૂર થયું છે. 

ભારતની એકતા કોઈ તોડી નહીં શકે

મુસ્લિમો કોર્ટનાં ચુકાદાને માથે ચડાવી ભડકાઉ વાતોથી દૂર રહેવું જોઈએ. તેમજ તુસીએ વધુમાં જણાવ્યું હતું કે રમઝાનનાં રોઝા ઈફતારીમાં હિંદુ લોકો આવી ભાઈચારાનો સંદેશો આપે છે. ત્યારે અયોધ્યામાં રામમંદિરનું ભવ્ય નિર્માણ થાય ત્યારે મુસ્લિમોએ પણ તે વખતે ખાત ઉપસ્થિત રહીને દુનિયાભરમાં સંદેશો આપવો જોઈએ. ભારતને કોઈ તોડી શકશે નહીં.

બાબરનાં વંશજ રામમંદિરમાં સોનાની ઈંટ આપશે

કરોડો હિન્દુઓની આસ્થાનુ કેન્દ્ર અયોધ્યા છે. ત્યારે જ્યારે ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઈંટ દાનમાં આપીશ. હિન્દુ- મુસ્લિમોની એકતા જ ભારતને વધું એક બનાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Gujarati News Prince Yakub Tusi ahmedabad અમદાવાદ અયોધ્યા ગુજરાતૂ ન્યૂઝ પ્રિન્સ યાકુબ તુસી બાબર વંશજ Ayodhya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ