બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Pravin
Last Updated: 09:20 AM, 14 February 2022
કોરોના સંકટ દરમિયાન ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. ભારતે પોતાની કોરોના વેક્સિન બનાવી અને તે પણ સૌથી વધારે પ્રભાવી વેક્સિનમાંની એક છે. ત્યારે હવે ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદની પણ ચર્ચા વિશ્વભરમાં થવા લાગી છે. હકીકતમાં જોઈએ તો, આફ્રિકી દેશ કેન્યાના પૂર્વ પીએમની દિકરી જોઈ શકતી નહોતી. કેરલમાં આયુર્વેદિક દવાઓથી તેની સારવાર કરવામા આવી અને ચમત્કાર થઈ ગયો. પૂર્વ પીએમ રૈલા ઓડિંગાની દિકરીની આંખોની રોશની પાછી આવી ગઈ. તેઓ પીએમ મોદીને મળ્યા અને ભારતની આ પ્રાચીન પદ્ધતિના ખૂબ વખાણ કર્યા. સોશિયલ મીડિયા પર પણ લોકો આયુર્વેદના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Delighted to receive my friend H.E. Raila Amolo Odinga, former Prime Minister of Kenya. I fondly recollect my past interactions with him in India and Kenya.
— Narendra Modi (@narendramodi) February 13, 2022
India and Kenya enjoy strong bilateral relations and we welcome further strengthening of our ties. pic.twitter.com/vz39ij5y4f
આયુર્વેદનો જય જયકાર
ભારતીય આયુર્વેદ ઈલાજથી કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રેલા ઓડિંગાની દિકરીની આંખોની રોશની પાછી આવી ગઈ. આ દાવો ખુદ કેન્યાના પૂર્વ પીએમે કર્યો છે. કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રૈલા ઓડિંગાએ કહ્યું કે, મેં દિકરીની આંખોની સારવાર માટે કેરલના કોચ્ચિ આવ્યો હતો. 3 અઠવાડીયાની સારવાર બાદ તેની આંખોની રોશનીમાં ઘણો સુધારો આવ્યો છે. રૈલા ઓડિંગાએ કહ્યું કે, આ મારા પરિવાર માટે ખૂબ જ આશ્ચર્યની વાત છે કે, આ પ્રકારની સારવાર કર્યા બાદ તે બધું જ જોઈ શકે છે. આ કોઈ ચમત્કારથી જરાયે ઓછુ નથી.
#WATCH| By using traditional medicines, my daughter finally has her eyesight back & this gave us a lot of confidence. I've discussed with PM Modi to bring this treatment method (Ayurveda) to Africa & use our indigenous plants for therapeutics: Former PM of Kenya, Raila Odinga pic.twitter.com/jWRG4AH9nB
— ANI (@ANI) February 13, 2022
પૂર્વ પીએમે કર્યા આયુર્વેદના વખાણ
ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વખાણ કરતા રૈલા ઓડિંગાએ કહ્યું કે, આ પરંપરાગત દવાઓના ઉપયોગથ આખરે આંખોની રોશની પાછી આવી ગઈ. તેમણે કહ્યું કે, તેનાથી અમને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો છે. રૈલા ઓડિંગાએ કહ્યું કે, મેં આ પ્રકારના છોડને આફ્રિકામાં લાવવા અને તેનો ઉપયોગ કરવા અમારા પીએમ સાથે વાત કરી છે. વિતેલા 2 વર્ષમાં પીએમ મોદીએ દુનિયાભરમાં પોતાના સાર્વજનિક સંબોધનમાં ભારતીય આયુર્વેદ વિશે જણાવતા આવ્યા છે.
પીએમ મોદીએ કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રૈલા અમોલો ઓડિંગા સાથે મુલાકાત કરી અને ભારત-કેન્યા સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ થયાં. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, પર્સનલ મુલાકાતે ભારત આવેલા ઓડિંગા સાથે મુલાકાત કરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime