બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:19 PM, 13 January 2026
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે અને આ વર્ષે આ પર્વ વધુ પુણ્યપ્રદ બની રહ્યું છે. અનેક વર્ષો પછી ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો સંયોગ એકસાથે રચાયો છે, સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ દિવસની ધાર્મિક શક્તિને વધારી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સંયોગમાં કરાયેલા સ્નાન અને દાનનો લાભ અનેક ગણો વધી જાય છે.
ADVERTISEMENT

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઉત્તરાયણં દેવયાનં, દક્ષિણાયનં પિતૃયાનમ્. મકર સંક્રાંતિ અયન સંક્રાંતિ હોવાથી તેને સામાન્ય સંક્રાંતિ કરતાં વિશેષ માનવામાં આવે છે. સામાન્ય રીતે સંક્રાંતિમાં આઠ ઘડી પહેલાં અને આઠ ઘડી પછીનું પુણ્યકાળ માન્ય હોય છે, પરંતુ મકર સંક્રાંતિમાં ચાલીસ ઘડી પહેલાંથી જ પુણ્ય અસર માનવામાં આવે છે. આ કારણસર પ્રાતઃકાળથી જ સ્નાન અને દાન કરવાની પરંપરા શાસ્ત્રસંમતિ છે.
ADVERTISEMENT

આ વર્ષે સૂર્ય 14 જાન્યુઆરીના દિવસે મકર રાશીમાં પ્રવેશ કરશે અને એ દિવસે મકર સંક્રાંતિ ઉજવાશે. જોકે, ધાર્મિક માન્યતાઓ અનુસાર 14 અને 15 જાન્યુઆરી બંને દિવસ સ્નાન, દાન અને પૂજા માટે શુભ ગણાય છે. ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં કરાયેલું સ્નાન પાપનાશક અને પુણ્યવર્ધક માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને શુક્રની યુતિ પણ રચાઈ રહી છે, જેનાથી આરોગ્ય, સમૃદ્ધિ અને સુખમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.
ADVERTISEMENT
મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદી અથવા ઘરમાં જ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું શુભ ગણાય છે. સ્નાન બાદ સૂર્ય દેવની ઉપાસના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તાંબાના લોટામાં જળ, લાલ પુષ્પ, ગુડ, અક્ષત અને કાળા તલ ઉમેરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે અર્ઘ્ય આપતી વખતે સૂર્ય દેવના દર્શન કરવાથી આયુષ્ય, તેજ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
આ દિવસે તિલ અને ગુડનું દાન તથા સેવન પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર, તિલ-ગુડ અને દાન આપવાથી પિતૃદોષ અને ગ્રહદોષમાં શાંતિ મળે છે. ગૌશાળામાં ગાયને ચારો અથવા દાન આપવું પણ વિશેષ પુણ્યદાયક ગણાય છે. માન્યતા છે કે મકર સંક્રાંતિ પર કરાયેલું દાન આખા વર્ષ સુધી શુભ ફળ આપે છે.
ADVERTISEMENT

બ્રહ્મ મુહૂર્ત: સવારે 5.27 થી 6.21
ADVERTISEMENT
ગોધુલી મુહૂર્ત: સાંજે 5.43 થી 6.10
સર્વાર્થ અને અમૃત સિદ્ધિ યોગ: સવારે 7.15 થી 3.03, 15 જાન્યુઆરી
ADVERTISEMENT
આ પણ વાંચો: ઉત્તરાયણની સવારે 7.15 સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ, કરશો આ કામ તો પૂરી થશે બધી ઈચ્છા
ડિસ્ક્લેમર : એ માનવું જરૂરી છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષ આધારિત છે. વ્યક્તિગત જીવનમાં કોઈ વિશેષ નિર્ણય લેતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લેવી હંમેશા યોગ્ય ગણાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.