બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / Astrology Rashifal Shani transit to change fortunes for these Zodiac Signs

રાશિફળ / શનિની ચાલ બદલશે 3 રાશિના જાતકોનું નસીબ, જીવશે રાજા જેવું જીવન

Vidhata

Last Updated: 12:46 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 એપ્રિલે બપોરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી ગુરુ છે. શનિની ચાલ કેટલીક રાશિઓને માલામાલ કરી શકે છે તો કેટલીક રાશિઓ માટે સમય મુશ્કેલ રહેશે.

શનિદેવ 6 એપ્રિલે પોતાની ચાલ બદલશે. કુંભ રાશિમાં વિરાજમાન શનિદેવ શનિવારે પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે. શનિવારે બપોરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેનો સ્વામી ગુરુ ગ્રહ છે. શનિના નક્ષત્રમાં પરિવર્તનનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. દ્રિક પંચાંગ અનુસાર શનિદેવનો આગામી નક્ષત્ર પરિવર્તન 3 ઓક્ટોબરે થશે. એવામાં શનિની બદલાતી ચાલ 2 ઓક્ટોબર સુધી કેટલીક રાશિઓને માલામાલ કરી શકે છે તો કેટલાકને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે. ચાલો જાણીએ શનિના નક્ષત્રમાં પરિવર્તનનો પ્રભાવ -

કન્યા રાશિ 

શનિના નક્ષત્રમાં પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને લાભ થશે. કાનૂની મામલાઓમાં જીત મળી શકે છે. બિઝનેસ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીમાં કરવામાં આવેલું કોઈ જૂનું રોકાણ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયક માનવામાં આવી રહ્યું છે. વર્ષોથી અટવાયેલા તમારા કામને વેગ મળશે. સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવના છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપાર કરવા માટે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

કુંભ રાશિ 

કુંભ રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ માનવામાં આવે છે. ઘર-પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી જશે. વેપારના સંદર્ભમાં તમને લાભ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે.

કર્ક રાશિ 

કર્ક રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન બહુ લાભકારી માનવામાં આવતું નથી. તમારા કરિયરમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતો ખર્ચ મનને પરેશાન કરી શકે છે. બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.

વધુ વાંચો: 8 એપ્રિલે થશે વર્ષનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં સુતક કાળ લાગશે કે નહીં

મીન રાશિ 

મીન રાશિના જાતકો માટે શનિના નક્ષત્રમાં પરિવર્તન શુભ માનવામાં આવતું નથી. નાણાકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્ય પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ