બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:10 PM, 9 September 2025
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે ટકરાવાના છે પરંતુ તે પહેલાં ટીકિટોને લઈને સામે આવેલી વાતે લોકોને ચોંકાવી દીધા છે વિચારતા કરી મૂક્યા છે. હકીકતમાં 14 સપ્ટેમ્બરની આ મેચની ટીકિટો જેવી જોઈએ તેવી વેચાતી નથી, સામાન્ય રીતે તો ભારત પાકિસ્તાનની મેચ હોય તો હાઉસફૂલના પાટિયા પડી જતાં હોય છે અને ટીકિટો ખૂટી જતી હોય છે અને આખું સ્ટેડિયમ ચિક્કાર ભરેલું હોય છે પરંતુ આ વખતે ટીકિટોનો કોઈ ભાવ પૂછનાર નથી.
ADVERTISEMENT
ટીકિટ ન વેચાવાનું શું કારણ
એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચની ટીકિટો ન વેચાવા પાછળનું કારણ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ન હોવું છે. ઉલ્લેખનીય છે કે ટી 20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હોવાથી કોહલી અને રોહિત એશિયા કપમાં રમવાના નથી, એશિયા કપ ટી 20 ફોર્મેટમાં રમાવાનો છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાની ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યારવી, સંજુ યારવી અને સંજુ કુમાર (વિકેટકીપર) રિંકુ સિંહ
ADVERTISEMENT
વધુ વાંચો : કોણ જીતશે ક્રિકેટનો એશિયા કપ? મોટી ભવિષ્યવાણી જાહેર થઈ, શું ચમકશે ભારતનો 'સૂર્ય'?
પાકિસ્તાનની ટીમઃ
ADVERTISEMENT
સલમાન અલી (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), હસન નવાઝ, વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને શાહીન શાહ મોકીમ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.