બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મેટ્રોનો વિસ્તાર થશે, 13 નવા સ્ટેશન બનશે', મોદી સરકારની નવા વર્ષની ભેટ

લાભ / 'મેટ્રોનો વિસ્તાર થશે, 13 નવા સ્ટેશન બનશે', મોદી સરકારની નવા વર્ષની ભેટ

Published By: Mit Soni

Last Updated: 04:00 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફ્રિંગમાં ઐતિહાસિક નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે આ નવી યોજાનામાં 12015 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકારના પ્રમાણે આ વર્ષે 33000 ટન કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો આવશે. આનો સીધો ફાયદો કર્તવ્ય ભવન અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને થશે.

નવા વર્ષ પહેલા કેન્દ્રની મોદી સરકારે દિલ્લી -NCR ના રહેવાસીયો અને સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દિલ્લી મેટ્રોના તબક્કા V (A) (તબક્કો-VA) ના વિસ્તરણને મંજૂરી આપી.

કેબિનેટ બ્રીફિંગમાં આ ઐતિહાસિક નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નવા પ્રોજેક્ટ પર લગભગ 12,015 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

400 KMથી વધુ હશે નેટવર્ક

આ વિસ્તાર સાથે દિલ્લી મેટ્રોનો વિસ્તાર 400 KMના આંકડાને પાર કરી જશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે " ભારતની પાસે હવે ચીન અને અમેરિકા પછી દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ મેટ્રો નેટવર્ક છે. આ વિસ્તાર દિલ્લીની લાઈફલાઈનને વધુ સશક્ત બનાવશે"

પરિયોજનાની મુખ્ય વાતો

  • કુલ બજેટ: રૂ. 12,015 કરોડ
  • લંબાઈ: 16 કિલોમીટરનું નવું કોરિડોર
  • સ્ટેશનોની સંખ્યા: 13 નવા સ્ટેશન { અંડર ગ્રાઉન્ડ અને 3 એલિવેટેડ}
  • સમય કેટલો લાગશે: પ્રોજેક્ટને 3 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે.
vtv app promotion

શું લાભ થશે

આ યોજનાનો સૌથી મોટો લાભ પર્યાવરણને થશે. સરકારના પ્રમાણે વર્ષમાં 33000 ટન કાર્બન ડાયઓક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આનાથી કર્તવ્ય ભવન અને કેન્દ્રિય કર્મચારીઓને સીધો લાભ થશે. આ ફેજની સૌથી મોટી વિશેષતા એ છે કે કોર્રિડોર કર્તવ્ય ભવનને મેટ્રો નેટવરક સાથે સીધી કનેક્ટ થશે. આનાથી આશરે 60,000 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 2 લાખ દૈનિક મુલાકાતીઓને સીધો ફાયદો થશે.

વધુ વાંચો: આખરે કાંકરિયા કાર્નિવલના વીમા વિવાદનો અંત આવ્યો, કંપનીએ શરત સુધારી

65 લાખ મુસાફરોને ભરોસો દિલ્લી મેટ્રો

તમને જણાવી દઈએ કે દિલ્લી મેટ્રોમાં રોજ લગભગ 65 લાખ લોકોને તેમના સ્થાને પહોંચાડે છે. તેનું નેટવર્ક 395 કિલોમીટર સુધી ફેલાયેલું છે. 15 km ના આ નવા વિસ્તાર બાદ મેટ્રો દિલ્લીના આંતરિક વિસ્તારો જ નહીં પણ NCRના સંપર્કને પણ મજબુત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Metro Phase 5A Metro Phase VA approva Union Cabinet decision Delhi Metro

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ