બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:51 AM, 8 July 2026
1/7
ગુપ્ત નવરાત્રિને શક્તિ ઉપાસના અને સાધના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને તાંત્રિક સાધકો માટે આ સમય ખૂબ જ ફળદાયી ગણાય છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિની શરૂઆત ગજકેસરી યોગ અને બુધ-પુષ્ય યોગ જેવા શુભ સંયોગોમાં થઈ રહી છે. જ્યોતિષાચાર્યોના મતે 12 વર્ષ બાદ આવો વિશેષ સંયોગ બનતા આ નવરાત્રિનું મહત્વ અનેકગણું વધી ગયું છે.
2/7
આષાઢ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 જુલાઈ 2026ના રોજ બપોરે 3:12 વાગ્યે શરૂ થશે અને 15 જુલાઈએ સવારે 11:50 વાગ્યે પૂર્ણ થશે. ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત સવારે 5:33 વાગ્યાથી સવારે 10:09 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન માતા શક્તિની આરાધના અને કલશ સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે.
3/7
જ્યોતિષ અનુસાર 15 જુલાઈએ પુષ્ય નક્ષત્ર રહેશે અને ચંદ્ર કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. ગુરુ લગભગ 12 વર્ષ બાદ ફરી આ સ્થિતિમાં આવતાં આ સંયોગ વિશેષ મહત્વનો માનવામાં આવે છે. સાથે જ ગુપ્ત નવરાત્રિની શરૂઆત બુધ-પુષ્ય યોગમાં થવાથી સાધના અને શુભ કાર્યો માટે ઉત્તમ સમય ગણાશે.
4/7
ગુપ્ત નવરાત્રિ દરમિયાન દશ મહાવિદ્યાઓની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. તેમાં કાળી માતા, તારા, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે. માન્યતા છે કે તેમની આરાધનાથી શત્રુબાધા, ગ્રહદોષ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે.
5/7
15 જુલાઈએ પ્રતિપદા સાથે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થશે. 16 જુલાઈએ દ્વિતીયા, 17 જુલાઈએ તૃતીયા અને ચતુર્થી રહેશે. 18 જુલાઈએ પંચમી, 19 જુલાઈએ ષષ્ઠી અને 20 જુલાઈએ સપ્તમી આવશે. 21 જુલાઈએ અષ્ટમી અને 22 જુલાઈએ નવમીની ઉજવણી થશે. 23 જુલાઈએ વ્રત પારણ સાથે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થશે.
6/7
આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી, દુર્ગા ચાલીસા, દેવી કવચ અથવા સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. સાત્વિક ભોજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ક્રોધ, અસત્ય, નિંદા અને તામસિક આહારથી દૂર રહેવું જરૂરી છે. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજન અને હવન કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ