ડ્રગ્સ કેસમાં આજે આર્યન ખાનને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. જોકે આર્યન ખાનને જામીન મળ્યા બાદ પણ કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે
આર્યન ખાનને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે
તેના સાથી અરબાઝ અને મુનમુન સાથે તે વાત નહી કરી શકે
કોર્ટમાં આર્યન ખાને તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે
મુંબઈ હાઈકોર્ટે આજે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના છોકરા આર્યન ખાનને જામીન આપી દીધા છે. ગત 2 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટીમાં એનસીબીએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેના જામીન માટે શાહરૂખ ખાન મથ્યો હતો. જોકે હવે તેને જામીન મળી ગયા છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ આર્યન ખાને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે.
કઈ-કઈ શરતોનું પાલન કરવું પડશે
આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવો પડશે.
તે સાક્ષીઓને ઉકસાવી નહી શકે સાથેજ પુરાવાઓ સાથે પણ તે કોઈ છેડછાડ નહી કરી શકે.
આર્યન તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે કોઈ પણ સંજોગોમાં વાત નહી કરી શકે.
આર્યને દર શુક્રવારે સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી મુંબઈ એનસીબીના કાર્યલાયમાં હાજરી આપવી પડશે.
હાલ આર્થર રોડ જેલમાં કેદ
આપને જણાવી દઈએ કે આ મામલે ઝડપાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધેમચાને પણ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જોકે કાલ સાંજ સુધીમાં આ દરેક આરોપીઓને જામીન મળવાના છે. હાલ તો આર્યન અને તેની સાથે ઝડપાયેલ મુનમુન અને અરબાઝ મુંબઈની આર્થર રોડ જેલમાંજ કેદ છે.
આર્યન સામે ગંભીર ગુના દાખલ
ઉલ્લેખનીય છે આર્યન ખાન, મુનમુન અને અરબાઝની એનસીબીએ ધરપકડ કરી હતી. તેમની સામે ડ્રગ્સ રાખવા, તેનું સેવન કરવું અને પ્રતિબંધીત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ કરવાના આરોપ લાગ્યા છે. જેથી આ તમામ લોકો સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.