બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુંબઈ હાઈકોર્ટે આજે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના છોકરા આર્યન ખાનને જામીન આપી દીધા છે. ગત 2 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટીમાં એનસીબીએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેના જામીન માટે શાહરૂખ ખાન મથ્યો હતો. જોકે હવે તેને જામીન મળી ગયા છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ આર્યન ખાને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે.
કઈ-કઈ શરતોનું પાલન કરવું પડશે
ADVERTISEMENT
હાલ આર્થર રોડ જેલમાં કેદ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે આ મામલે ઝડપાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધેમચાને પણ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જોકે કાલ સાંજ સુધીમાં આ દરેક આરોપીઓને જામીન મળવાના છે. હાલ તો આર્યન અને તેની સાથે ઝડપાયેલ મુનમુન અને અરબાઝ મુંબઈની આર્થર રોડ જેલમાંજ કેદ છે.
આર્યન સામે ગંભીર ગુના દાખલ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે આર્યન ખાન, મુનમુન અને અરબાઝની એનસીબીએ ધરપકડ કરી હતી. તેમની સામે ડ્રગ્સ રાખવા, તેનું સેવન કરવું અને પ્રતિબંધીત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ કરવાના આરોપ લાગ્યા છે. જેથી આ તમામ લોકો સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.