બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની કરી માગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

દિલ્હી / અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની કરી માગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

Priykant Shrimali

Last Updated: 11:16 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Interim Bail Latest News : આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે, તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો

Arvind Kejriwal Interim Bail : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.

નોંધનિય છે કે, 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. વચગાળાના જામીનનો આદેશ પસાર કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આગામી 5 વર્ષ માટે આ દેશની સરકારને ચૂંટવા માટે કરોડો મતદારો પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને જામીન આપવાથી રાજકારણીઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ફાયદાકારક સ્થિતિમાં હોવાનો લાભ મળશે તેવી ફરિયાદ પક્ષની દલીલ ફગાવી દેવામાં આવે છે.

વધુ વાંચો : 'રેમલ' વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ હાઈ એલર્ટ, 135KM ની ઝડપે ફૂંકાયો પવન, જુઓ તબાહીની તસવીરો

21 માર્ચથી જેલમાં હતા કેજરીવાલ

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જાહેર કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP પાર્ટીએ કહ્યું હતું કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Arvind Kejriwal Interim Bail Arvind Kejriwal
Priykant Shrimali
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ