હવે અર્ણબ ગોસ્વામીએ સલમાન ખાન પર શાબ્દિક હુમલા કર્યા છે અને કહ્યું છે કે જે સલમાન આટલું બોલતો હતો તે ક્યાં છે, ક્યાં છુપાયો છે? ડ્રગ્સ માફિયા વિશે એક અવાજ કેમ ન ઉઠાવ્યો, બોલતી બંધ કેમ છે?
સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ શરૂ થયેલી નેપોટિઝમનો વિવાદ હવે ડ્રગ્સ સિંડિકેટ સુધી પહોંચી ગયો છે. બૉલીવુડ અને ડ્રગ પેડલર્સની વચ્ચે મિલીભગતના આરોપ લાગી રહ્યાં છે. મીડિયામાં પણ આ મમલો સતત ચર્ચામાં રહેલો છે. આ વચ્ચે ટીવી જર્નલિસ્ટ અર્ણબ ગોસ્વામીએ ખુલ્લેઆમ સલમાન ખાન પર નિશાન સાધ્યું છે અને દેશની વિરુદ્ધ બોલનારા વ્યક્તિ તરીકે ગણાવ્યા છે.
ડ્રગ્સ માફિયા વિશે અવાજ કેમ ઉઠાવતો નથી?
રિપબ્લિક ટીવી પર અર્ણબ ગોસ્વામીએ બૂમો પાડીને પૂછ્યું હતું કે એ સલમાન જે બહું બોલતો હતો ક્યાં છે, ક્યાં છુપાયો છે? ડ્રગ્સ માફિયા વિશે અવાજ કેમ ઉઠાવતો નથી, બોલતી કેમ બંધ થઈ ગઈ છે? અર્ણબે કહ્યું કે હું પૂછી રહ્યું છું સલમાન ખાનનું નામ લઈને કે સલમાન ખાન ક્યાં છે? એક અવાજ નથી આવ્યો, એક નિવેદન સુદ્ધા નહીં કે ટ્વિટ પણ નથી કર્યુ. આખા દિશા સાલિયાનના કેસમાં ચુપ કેમ છે સલમાન? સુશાંતની હત્યામાં ચૂપ કેમ છે સલમાન? તું છે કયા શહેરમાં? કયા દેશમાં છે તુ સલમાન?
બિગ બોસ શો ઉપર માર્યો ટોણો
જો કે અર્ણબ આટલેથી ન અટકીને આગળ કહ્યું હતું કે દેશની વિરુદ્ધમાં બોલનારા વ્યક્તિ છો તો હવે તો બોલીને બતાવ. બોલતી કેમ બંધ છે. બિગ બોસના ડાયલૉગ હાથમાં આપવામાં આવશે, કોઈ લખશે તો તેને ગોખીને બોલે છે તો હું કેમ ન પૂછું?
ઉલ્લેખનીય છે કે અગાઉ અર્ણબ ગોસ્વામીએ એક દિવસ પહેલાં જ જયા બચ્ચન પર પણ નિશાન સાધ્યુ હતું. જેના બહાને અમિતાભ બચ્ચન પર પણ હુમલો કર્યો હતો. અર્ણબે કહ્યું હતું કે કંગના અને રવિ કિશન કોઈ મહાનાયકે આપેલી થાળીમાં નથી ખાતા, પરંતુ તેમણે તેમની થાળી જાતે બનાવી છે.