બ્રેકિંગ ન્યુઝ
VTV / Araria Bihar commotion after a snake came out in the mid-day meal of a government school children have fallen ill after eating this food
Pravin Joshi
Last Updated: 04:31 PM, 27 May 2023
ADVERTISEMENT
પટનાઃ બિહારના અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક સાપ મળી આવ્યો છે. આ ખોરાકથી 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તે વ્યક્ત પણ કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
આ મામલો અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમુના મિડલ સ્કૂલનો છે. અહીં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. આ પછી, શાળાના બાળકોને ઉતાવળમાં ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકો ખતરાથી બહાર છે. આ બાબતની જાણકારી મળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ ગયા અને બાળકોને મળ્યા. બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અધિકારીઓ બીમાર બાળકોને અને તેમના સંબંધીઓને મળ્યા હતા.
सभी बच्चे सुरक्षित और स्वस्थ्य हैं। खाने में सांप पाए जाने से थोड़ी अफरा-तफरी हुई थी लेकिन किसी तरह की कोई परेशानी नहीं है। जांच के लिए टीम गठित की जाएगी और सख्त से सख्त कार्रवाई की जाएगी: फारबिसगंज में एक सरकारी स्कूल में मिड डे मील का खाना खाने से 50 बच्चे के बीमार होने के… pic.twitter.com/ZGq95AkxiM
— ANI_HindiNews (@AHindinews) May 27, 2023
SDMએ શું કહ્યું?
આ ઘટના પર અરરિયાના SDM સુરેન્દ્ર કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ બાળકો સુરક્ષિત અને સ્વસ્થ છે. ખોરાકમાં સાપ મળવાને કારણે થોડી હંગામો થયો હતો પરંતુ કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.