ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે વિરાટ કોહલીના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે.
ટીમ ઈન્ડિયાને ચિયર કરવા અનુષ્કા અમદાવાદ પહોંચી
ફેન્સ જોઈ શકશે અનુષ્કા અને વામિકાને
11 જાન્યુઆરીએ વિરાટ-અનુષ્કાનાં ઘરે દિકરીએ જન્મ લીધો હતો
અનુષ્કા વામિકા સાથે અમદાવાદ પહોંચી
24 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ શરુ થઈ ચુકી છે. ત્યારે અનુષ્કા શર્મા તેની દિકરી વામિકાને લઈ અમદાવાદ પહોંચી ગઈ છે. 11 જાન્યુઆરીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં ઘરે એક દિકરીએ જન્મ લીધો હતો. જેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે.
દોઢ મહિનામાં વામિકાએ ટ્રાવેલિંગ શરું કર્યું
વિરાટ-અનુષ્કાની દિકરીએ દોઢ મહિનામાં ટ્રાવેલિંગ પણ શરુ કરી દીધું છે. વિરાટ-અનુષ્કાએ તેની દિકરીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. પણ તેમાં વામિકાનો ચહેરો નહોતો દેખાતો. જેથી અમદાવાદની મેચમાં તેમનાં ફેન્સની રાહનો અંત આવી શકે છે.
ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની મેચ દરમિયાન ફેન્સ અનુષ્કા અને વિરાટની દિકરીને સાથે ચિયર કરતા કદાચ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા મેચનાં પહેલા દિવસેજ અમદાવાદ પહોંચી ગઈ હતી. માટે ફેન્સનું માનવું છે કે પહેલી મેચનાં પહેલા દિવસે નહીં પણ બીજા કે ત્રીજા દિવસે અનુષ્કા ટીમ ઈન્ડિયા માટે ચિયર કરતી જોવા મળી શકે છે જેની સાથે દિકરી વામિકા પણ હોવાની શક્યતા છે.