બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત, આરોગ્ય વિભાગની 47 ટીમો સર્વેમાં જોડાઈ

બનાસકાંઠા / બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત, આરોગ્ય વિભાગની 47 ટીમો સર્વેમાં જોડાઈ

Published By: Vishal Khamar

Last Updated: 10:41 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાનપુર ગામના 10 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન ચાંદીપુરા વાયરસથી મોત થયું છે.આરોગ્ય વિભાગે સર્વે અને દેખરેખ વધુ તેજ કરી છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ ફરી એકવાર ચિંતાજનક બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુર ગામમાં 10 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતાં આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી છે.

વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયો

મળતી માહિતી મુજબ, બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.

આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાનપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ દર્દીઓની ઓળખ, આરોગ્ય તપાસ અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ઉપરાંત બાળકોની ખાસ કાળજી રાખવા અને સ્વચ્છતા જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

આ પણ વાંચોઃ પાવાગઢના માઈભક્તો માટે મહત્વના સમાચાર: આજથી 6 દિવસ સુધી રોપ-વે સેવા બંધ, આ તારીખથી ફરી શરૂ થશે

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura Virus Gujarat Amirgadh Chandipura Virus Banaskantha Child Death

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ