બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / anil deshmukh can be arrested after ed lookout notice

નોટિસ / દેશ છોડીને ભાગવાની ફિરાકમાં નેતાજી, 100 કરોડની વસૂલીના કેસમાં ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Mayur

Last Updated: 09:58 AM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમી ચાલી રહી છે. કેન્દ્રીય એજન્સી ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 100 કરોડની વસૂલીના મામલે અનિલ દેશમુખને લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે.

 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની તકલીફો ઓછી થવાનું નામ નથી લેતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. 

100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ

ઇડીએ આ નોટિસ 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપમાં જારી કરી હતી. આ અગાઉ સીબીઆઇ દ્વારા આંતરિક તપાસનો રિપોર્ટ લીક થવાના મામલે દેશમુખના વકીલની ધરપકડ કરવામાં આવી હતી. 

ED ના અધિકારીઓ કરી રહ્યા છે તપાસ 
અનિલ દેશમુખને અત્યાર સુધીમાં પાંચ વાર સમન મોકલવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત હાજર થયા ન્હોતા. હવે ઇડીના અધિકારીઓ તેમણે શોધી રહ્યા છે. આ અગાઉ દેશમુખે ઇડીના સમનને મુંબઈની કોર્ટમાં પડકારીને તેણે રદ કરવાનો અને તપાસ મુંબઈની બહાર ઇડીના અધિકારીઓની SIT ને સોંપવાનો અનુરોધ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હુત કે કેન્દ્રીય એજન્સી દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલા સમનને રદ કરવામાં આવે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની યાચિકામાં ઉચ્ચ ન્યાયાલય પાસે ઇડીને ડિજિટલ મધ્યમથી તેમનું નિવેદન લઈ લેવા માટે અને તમામ પ્રાસંગિક દસ્તાવેજો જમા કરી લેવાની પણ વિનંતી કરવામાં આવી હતી. 

શું છે મામલો?
અગાઉ સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર અને પદનો દુરુપયોગ કરવાના મામલે 21 એપ્રિલે દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવ્યા બાદ ઇડી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સાથીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઇડી અનુસાર રાજ્યના ગૃહ મંત્રી તરીકે અનિલ દેશમુખ દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને બરખાસ્ત કરવામાં આવેલ પોલીસ અધિકારી સચિન વાજેના માધ્યમથી મુંબઈના વિભિન્ન બાર અને રેસ્ટોરેન્ટ્સમાંથી 4.70 કરોડ રૂપિયા વસૂલી કરવામાં આવી હતી.

ઉચ્ચ ન્યાયાલય દ્વારા રાહત આપવાની મનાઈ

દેશમુખના પરિવાર દ્વારા સંચાલિત નાગપુર સ્થિત એક ટ્રસ્ટ "શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાન" માં આઅ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે દેશમુખને પાંચ વાર સમન મોકલવામાં આવ્યું હોવા છતાં તેઓ એક પણ વખત ઇડી સામે હાજર થયા ન્હોતા. તેમણે સમન વિરુદ્ધ રાહત અને ધરપકડથી રક્ષણ માટે ગયા મહિને કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઉચ્ચ ન્યાયાલય દ્વારા રાહત આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Anil Deshmukh Enforcement Directorate Maharashtra Money Laundering case અનિલ દેશમુખ મનીલોન્ડરિંગ કેસ anil deshmukh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ