બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / An indirect message from the Treasurer of Ram Temple regarding Kashi-Mathura

મોટું નિવેદન / 'માત્ર ત્રણ મંદિરોને છોડી દો, તો અમે ક્યારેય...', કાશી-મથુરાને લઇ રામ મંદિરના કોષાધ્યક્ષનો આડકતરો સંદેશ

Priykant Shrimali

Last Updated: 08:21 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Govind Dev Giri Maharaj Latest News: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું, બાકીના બે મંદિરો (કાશી અને મથુરા) અમને શાંતિથી અને પ્રેમથી સોંપવામાં આવે તો અમે બાકીનું બધું ભૂલી જઈશું

  • અયોધ્યા બાદ કાશી અને મથુરામાં હિન્દુઓના 'મૂળ સ્થાનો'ની માંગ તેજ 
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજનું મોટું નિવેદન
  • બાકીના બે મંદિરો (કાશી અને મથુરા) અમને શાંતિથી અને પ્રેમથી સોંપવામાં આવે તો અમે બાકીનું બધું ભૂલી જઈશું

Govind Dev Giri Maharaj : અયોધ્યા બાદ કાશી અને મથુરામાં હિન્દુઓના 'મૂળ સ્થાનો'ની માંગ તેજ થઈ છે. આ બંને જગ્યાઓ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, અયોધ્યા બાદ જો કાશી અને મથુરા શાંતિપૂર્ણ રીતે આઝાદ થાય તો હિંદુ સમુદાય વિદેશી આક્રમણકારો દ્વારા નષ્ટ કરાયેલા અન્ય તમામ મંદિરો સંબંધિત મુદ્દાઓને ભૂલી જશે. તેમણે કહ્યું કે, વિદેશી હુમલામાં 3500 હિંદુ મંદિરો નષ્ટ થઈ ગયા.

ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે પૂણેના આલંદીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. તેમના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અહીં 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં આરએસએસના વડા મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર સહિત અન્ય લોકો હાજરી આપશે. એક અહેવાલ મુજબ ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું, જો આ ત્રણ મંદિરો મુક્ત થઈ જાય, તો અમે અન્ય (મસ્જિદો) તરફ જોવાની ઈચ્છા પણ નથી કરતા, કારણ કે આપણે ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં જીવવાનું છે. દેશ ભારતનું ભવિષ્ય સારું હોવું જોઈએ તેથી જો બાકીના બે મંદિરો (કાશી અને મથુરા) અમને શાંતિથી અને પ્રેમથી સોંપવામાં આવે તો અમે બાકીનું બધું ભૂલી જઈશું.

મહારાજે મુસ્લિમ સમુદાયને આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની તેમની માંગને સમર્થન આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, આ મામલો માત્ર હુમલાના નિશાનો ભૂંસી નાખવાનો છે અને તેને બે સમુદાયો વચ્ચેની સમસ્યા ન ગણવી જોઈએ. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મહારાજે કહ્યું, હાથ જોડીને અમારી પ્રાર્થના છે કે, આ ત્રણ મંદિરો (અયોધ્યા, જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ) સોંપવામાં આવે કારણ કે આ આક્રમણકારો દ્વારા અમારા પર કરાયેલા સૌથી મોટા નિશાન (હુમલા) છે તેના કારણે લોકોમાં ઘણી પીડા છે. જો તેઓ (મુસ્લિમ પક્ષ) શાંતિથી આ દુઃખ દૂર કરશે તો ભાઈચારો વધારવામાં વધુ સહકાર મળશે.

વધુ વાંચો: બાબરી ગઈ પણ જ્ઞાનવાપીને શહીદ નહીં થવા દઈએ' IMC પ્રમુખ તૌકીર રઝાએ જેલ ભરો આંદોલનનું કર્યું એલાન

અમે શાંતિપૂર્ણ ઉકેલ (રામ મંદિર માટે) શોધી કાઢ્યો છે. હવે જ્યારે આવો યુગ શરૂ થયો છે, અમને આશા છે કે અન્ય મુદ્દાઓ પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. મહારાજે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો બાકીના બે મંદિરોના શાંતિપૂર્ણ ઉકેલ માટે તૈયાર છે પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, અમે પરિસ્થિતિ અનુસાર સ્ટેન્ડ લઈશું અને તેમને મનાવવાનો પ્રયાસ કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે શાંતિપૂર્ણ વાતાવરણ ન સર્જાય.

સંકળાયેલા મુદ્દાઓ

Govind Dev Giri Maharaj કાશી ગોવિંદ દેવ ગિરી મહારાજ મથુરા રામ મંદિર રામ મંદિર કોષાધ્યક્ષ Govind Dev Giri Maharaj
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ