બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના લીલીયામાં સિંહ હુમલા કેસમાં તપાસ તેજ, વન વિભાગે કર્યું રિ-કન્સ્ટ્રક્શન
Last Updated: 07:41 PM, 11 July 2026
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદે સિંહ દર્શન દરમિયાન થયેલા જીવલેણ હુમલાના કેસમાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેસના બંને આરોપીઓને સાથે રાખીને અધિકારીઓ ઘટનાસ્થળ લુવારીયા પાળા ખાતે પહોંચ્યા અને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. વન વિભાગના ઇતિહાસમાં સિંહ દર્શનના કેસમાં પ્રથમવાર આ પ્રકારનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

ઈતિહાસમાં પહેલીવાર રિ-કન્સ્ટ્રક્શન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આંટાળીયા ગામ નજીક ગેરકાયદે રીતે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું. ઘટનાને લઈને પોલીસે મૃતક સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, વન વિભાગ પણ સમગ્ર મામલાની તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, બંને બાળકો સારવાર હેઠળ
સિંહ અને પ્રકૃતિમાં થઈ રહેલા બદલાવ અંગે રિસર્ચ કરવા સૂચન કર્યું છે
ADVERTISEMENT
ગીરનાર પર્વત પર સિંહ દ્વારા બાળકના થયેલા હુમલા અને મૃત્યુની ઘટનાને લઈને રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતક બાળકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે ગીરનારના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ સિંહ તથા એક સિંહણનું રેસ્ક્યૂ કરીને સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને સિંહોના વર્તન તેમજ પ્રકૃતિમાં થઈ રહેલા બદલાવના સંભવિત કારણો અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી હોવાનું વનમંત્રીએ જણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.