બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, બંને બાળકો સારવાર હેઠળ

એલર્ટ / ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, બંને બાળકો સારવાર હેઠળ

Vishal Khamar

Last Updated: 07:06 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. કઠલાલના મિર્ઝાપુરના શીરાની મુવાડીમાં 4 વર્ષનું બાળક ચાંદીપુરાની ઝપેટમાં આવી જવા પામ્યું હતું. બંને બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તાર અને કઠલાલ તાલુકાના મિરઝાપુર નજીક આવેલી શીરાની મુવાડીમાં બે બાળ દર્દીઓમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. બંને બાળકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે બંને વિસ્તારોમાં સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.

બંને બાળકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ખેડા જિલ્લામાં પ્રથમ વખત ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કપડવંજ તાલુકાના સાલોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા એક વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની પ્રાથમિક સારવાર કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તબિયત વધુ ગંભીર બનતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ચાર વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો

આ દરમિયાન કઠલાલ તાલુકાના મિરઝાપુર નજીક આવેલી શીરાની મુવાડીમાં ચાર વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવ્યા છે. બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બંને બાળ દર્દીઓ ગાંધીનગરમાં સારવાર હેઠળ છે.

જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ

ચાંદીપુરાના કેસ સામે આવ્યા બાદ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સાલોડ ગામ અને શીરાની મુવાડી સહિત આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ દવાનો છંટકાવ અને લોકોને જાગૃત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ એક નિર્ણયથી નારાજ થયા ગુજરાતના શિક્ષકો, ગાંધીનગરમાં ધરણાં પર બેઠા, મુખ્યમંત્રીને કરશે રજૂઆત

આ લક્ષણો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો

આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને બાળકોમાં તાવ, ઊલટી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ચાંદીપુરાના બે કેસ સામે આવતા કઠલાલ અને કપડવંજ તાલુકાના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રફૂલ પાનસેરિયાની લોકોને સાવધાનીની અપીલ

રાજ્યમાં વધતાં ચાંદીપુરા વાયરસ અંગે રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે. વર્ષ 2024માં જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ આવ્યા હતા ત્યાં પણ કામગીરી કરાઈ છે. આ સાથે જ રાજ્ય આરોગ્ય મંત્રીએ લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda Chandipura Virus Chandipura Virus Cases Gujarat Health News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ