બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Amit Shah Rules Out Talks With Pak, Says Won't Tolerate Terror In Kashmir
Hiralal
Last Updated: 05:02 PM, 5 October 2022
જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં એક મોટી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાત નહીં થાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરશે અને તેને દેશનું સૌથી શાંતિપૂર્ણ સ્થળ બનાવશે.
"They tell us talk to Pakistan, I say..." Amit Shah in J-K
— ANI Digital (@ani_digital) October 5, 2022
Read @ANI | https://t.co/R5S1CdyJf9#AmitShah #JammuAndKashmir #Baramulla pic.twitter.com/friM2nCSVp
1990થી અત્યાર સુધી આતંકને કારણે 42,000 લોકોના મોત
શાહે પૂછ્યું હતું કે શું આતંકવાદથી ક્યારેય કોઈને ફાયદો થયો છે કારણ કે તેણે 1990ના દાયકાથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 42,000 લોકોના જીવ લીધા છે. શાહે કહ્યું કે જ્યારે અહીં (બારામૂલા)માં રેલીની વાત ચાલતી હતી ત્યારે કેટલાક લોકોએ શંકા ઉઠાવી કે અહીંની રેલીમાં કોણ આવશે પરંતુ હું આજે તેમને કહેવા માંગું છું કે આ કાર્યક્રમમાં કાશ્મીરની આ સુંદર ખીણમાં વિકાસની ગાથા સાંભળવા અને મોદીજીને સમર્થન આપવા માટે હજારો લોકો અહીં હાજર છે.
આતંકી હૉટસ્પૉટ વાળો વિસ્તાર હવે ટૂરિઝમ હોટસ્પોટ બન્યો
અમિત શાહે ખૂબ જ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે જે વિસ્તાર પહેલા આતંકી હૉટસ્પૉટ હતો, હવે ટૂરિઝમ હૉટસ્પૉટ છે. જમ્મુ-કાશ્મીરમાં વધતા જતા પર્યટનને કારણે અહીંના ઘણા યુવાનોને રોજગાર મળ્યો છે. "છેલ્લા 70 વર્ષથી, મુફ્તી એન્ડ કંપની, અબ્દુલ્લાના પુત્રો અહીં સત્તામાં હતા, પરંતુ તેમણે 1 લાખ બેઘર લોકોને આવાસ પૂરા પાડ્યા ન હતા. મોદીજીએ 2014-2022 વચ્ચે આ 1 લાખ લોકોને ઘર આપ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં થશે શાંતિપૂર્ણ ચૂંટણી
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મતદાર યાદી તૈયાર કરવાનું કામ પૂર્ણ થતાં જ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી યોજાશે. મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાં સૌથી પહેલું કામ લોકશાહીને ગામમાં લઈ જવાનું કર્યું છે. 5 ઓગસ્ટ પછી મોદીજીએ લોકતંત્રને જમીન પર, જમ્મુ-કાશ્મીરના ગામમાં લઈ જવાનું કામ કર્યું છે. આજે, 30,000 થી વધુ લોકો ખીણ અને જમ્મુ-કાશ્મીરમાં પંચાયતો, તહસીલ પંચાયતોનું નેતૃત્વ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh