બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક તરફ આનંદ ફિલ્મમાં ડૉ. બેનર્ઝીનુ પાત્ર ભવનાર અમિતાભ બચ્ચન પોતાની ડાયરીમાં લખે છે કે, મેડીકલ પ્રોફેશનમાં એવો પણ સમય આવે છે જ્યારે ડૉક્ટર પાસે કોઇ રસ્તો રહેતો નથી અને તે પોતાની સામે જ દર્દીને મોત તરફ જતા જોવે છે. ત્યારે રીયલ લાઇફમાં ડૉક્ટર નિલેશ રાણાએ પણ પોતાની કવિતામાં એવુ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ હાલ આ ડૉક્ટરનું સ્વરૂપ પણ બેહાલ છે. રોજ જે હાથથી દર્દીની સેવા કરે છે, તે જ હાથથી તેનું મોતનું સર્ટીફીકેટ લખે છે. આ સ્થિતિને અટકાવવા તેઓ કોરોનાથી બચવા માટે લોકોને સલાહ પણ આપી રહ્યા છે.
ડેથ સર્ટિફિકેટ
ADVERTISEMENT
લખુ ડેથ સર્ટિફિકેટ જે હાથે, હું રોજ જમું તે હાથે
આને કહવે સુખ મળે જે મજબૂરી સંગાથે
જ્યારે બંધ થાય છે આંખો, ટૂટી જાય છે શ્વાસો
નિષ્ફળતાનો કડવો ઘુટડો મારે જાણે તમાશો
ADVERTISEMENT
કટાર વાગે કળતર કેરી, નાવ ડૂબી જઇ કાંઠે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે
સત્ય કહેવાના શપથ લીધા પણ આંસુ ક્યાંથી ખાળુ
દુઃખનું મહાભારત રોકવા મારામાં યુધિષ્ઠિરને મારુ
ADVERTISEMENT
આંખો કોરી અને ભીતર રડે, ગમ વહેંચ્યું કોની સાથે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે
લોકો કહે ઇશ્વરનો હાથ છું તોયે નડી લાચારી
સ.. સફળતાનો ઘુંટવામાં વહી જીંદગી સારી
ADVERTISEMENT
અવતાર નથી હું માણસ છું એ વાત કઠે છે રાતે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે
લખુ ડેથ સર્ટિફિકેટ જે હાથે, હું રોજ જમું તે હાથે
આને કહેવુ સુખ મળે જે મજબૂરી સંગાથે
ADVERTISEMENT
કોરોના મહામારી એટલી હદે વકરી છે કે, હાલ આખી દુનિયામાં દરેકના મોઢે માત્ર એક જ વાત છે, ઘરે રહો સુરક્ષિત રહો. ત્યારે આજે મૂળ ભારતીય ડૉક્ટર નિલેષ રાણાએ પણ લોકોના મોતના સર્ટીફીકેટ લખતા-લખતા એવું જણાવ્યુ કે, હવે બસ દરેક લોકો પોતાનું ધ્યાન રાખે કેમ કે, ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, ખુદ ભગવાન નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.