મહિલાઓમાં પાણીપુરી ખાસ લોકપ્રિય હોઈ પરપ્રાંતીયોએ અમદાવાદભરમાં પાણીપુરીની લારીઓ શરૂ કરી છે, જોકે મ્યુનિ. કોર્પોરેશનના કાયદા મુજબ પાણીપૂરીના ધંધાર્થીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરિજયાત છે. આ ઉપરાંત હાલમાં જ સરકારના આદેશના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અને પાણીપુરી વાળાઓ પાસે ફરજિયાત નિયમોનું પાલન કરાવી રહ્યાં છે. ત્યારે જાણો આજના Ek Vaat Kau માં કે રેકડીવાળાઓ અને લારી-ગલ્લાઓ પર વેચાતી વસ્તુઓ માટે શું છે નિયમો?