બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambaji temple line at prasad center is also missing

આક્રોશ / ચિક્કીનો પ્રસાદ ખૂટ્યો,અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરી ચિક્કી શરુ કરી હતી એ પણ ખુટી પડી,પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાઈન

Kishor

Last Updated: 02:41 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી ધુળેટીના પર્વને લઈને અંબાજી મંદિરમાં ભક્તો ઉમટી પડતા પ્રસાદ ખૂટી પડ્યો હતો. આથી પ્રસાદની રાહમાં ભક્તોએ લાંબી કતારો લગાવી હતી.

  • અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટ્યો
  • મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાઈન
  • કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં રોષ

કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમાન યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે જેને આજે ચાર દિવસ થયા છે. ત્યારબાદ ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો હતો. આ સમગ્ર મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ સાથે ભક્તો અડગ રહ્યા છે. આ વકરતા વિવાદ વચ્ચે અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રસાદ માટે ભક્તોની લાંબી લાઈનો લાગી

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી, ધુળેટી પર્વને લઈને માઇભક્તોની ભારે ભીડ જામી રહી છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓનો સાગર ઉમટ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા અવ્યસ્થા સર્જાઈ હતી. બીજી તરફ મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. તાજેતરમાં જ ચીક્કીનો પ્રસાદ શરૂ કરાયા બાદ આજે કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં આક્રોશની જ્વાળા ભભૂકી હતી. લોકો માનવ કલાકનો વેડફાટ કરી લાંબી કતારોમાં પ્રસાદ કાઉન્ટર ઉપર પ્રસાદની રાહ જોઈ રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.


મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર અને હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની ભક્તોની માંગ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે. આ મામલે અલ્ટીમેટમ પણ આપવામા આવ્યું છે તો બીજી તરફ કલેકટર દ્વારા રાહતરૂપ નિર્ણયની ખાતરી પણ અપાઈ છે. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ