બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambaji temple line at prasad center is also missing
Kishor
Last Updated: 02:41 PM, 8 March 2023
કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમાન યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે જેને આજે ચાર દિવસ થયા છે. ત્યારબાદ ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો હતો. આ સમગ્ર મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ સાથે ભક્તો અડગ રહ્યા છે. આ વકરતા વિવાદ વચ્ચે અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રસાદ માટે ભક્તોની લાંબી લાઈનો લાગી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી, ધુળેટી પર્વને લઈને માઇભક્તોની ભારે ભીડ જામી રહી છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓનો સાગર ઉમટ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા અવ્યસ્થા સર્જાઈ હતી. બીજી તરફ મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. તાજેતરમાં જ ચીક્કીનો પ્રસાદ શરૂ કરાયા બાદ આજે કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં આક્રોશની જ્વાળા ભભૂકી હતી. લોકો માનવ કલાકનો વેડફાટ કરી લાંબી કતારોમાં પ્રસાદ કાઉન્ટર ઉપર પ્રસાદની રાહ જોઈ રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર અને હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની ભક્તોની માંગ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે. આ મામલે અલ્ટીમેટમ પણ આપવામા આવ્યું છે તો બીજી તરફ કલેકટર દ્વારા રાહતરૂપ નિર્ણયની ખાતરી પણ અપાઈ છે. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરાયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime