બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambaji temple line at prasad center is also missing

આક્રોશ / ચિક્કીનો પ્રસાદ ખૂટ્યો,અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરી ચિક્કી શરુ કરી હતી એ પણ ખુટી પડી,પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાઈન

Mahadev Dave

Last Updated: 02:41 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી ધુળેટીના પર્વને લઈને અંબાજી મંદિરમાં ભક્તો ઉમટી પડતા પ્રસાદ ખૂટી પડ્યો હતો. આથી પ્રસાદની રાહમાં ભક્તોએ લાંબી કતારો લગાવી હતી.

  • અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટ્યો
  • મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાઈન
  • કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં રોષ

કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમાન યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે જેને આજે ચાર દિવસ થયા છે. ત્યારબાદ ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો હતો. આ સમગ્ર મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ સાથે ભક્તો અડગ રહ્યા છે. આ વકરતા વિવાદ વચ્ચે અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રસાદ માટે ભક્તોની લાંબી લાઈનો લાગી

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી, ધુળેટી પર્વને લઈને માઇભક્તોની ભારે ભીડ જામી રહી છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓનો સાગર ઉમટ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા અવ્યસ્થા સર્જાઈ હતી. બીજી તરફ મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. તાજેતરમાં જ ચીક્કીનો પ્રસાદ શરૂ કરાયા બાદ આજે કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં આક્રોશની જ્વાળા ભભૂકી હતી. લોકો માનવ કલાકનો વેડફાટ કરી લાંબી કતારોમાં પ્રસાદ કાઉન્ટર ઉપર પ્રસાદની રાહ જોઈ રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.


મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર અને હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની ભક્તોની માંગ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે. આ મામલે અલ્ટીમેટમ પણ આપવામા આવ્યું છે તો બીજી તરફ કલેકટર દ્વારા રાહતરૂપ નિર્ણયની ખાતરી પણ અપાઈ છે. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરાયો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple અંબાજી પ્રસાદ ખૂટી પડ્યો ભક્તો લાંબી કતારો હોળી ધુળેટી Ambaji Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ