અલ્પેશ ઠાકોરે વડાણા ખાતે જંગી જનસભા સંબોધી અસામાજિક તત્વોને શાનમા સમજી જવા હુંકાર કર્યો હતો.
અલ્પેશ ઠાકોરે વડાણા ખાતે જંગી જનસભા સંબોધી
સરકાર ભાજપની જ બનશે : અલ્પેશ ઠાકોર
અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા લલકાર
ગુજરાત ચુંટણીને લઇને વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જંગી જનસભા સંબોધી હતી. જેમા તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટેકો આપ્યો હતો. આ દરમિયાન વિરોધીઓને મર્યાદામાં રહેવા ટકોર કરી દીધી છે. સાથે ચુંટણી બાદ સત્તામાં તો ભાજપ જ આવશે તેવો દાવો કરી અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા લલકાર કર્યો હતો .
ભાજપની જ સરકાર બનશે : અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, લોકોને ડરાવનારાઓ ચેતી જજો કારણ કે ચુંટણી બાદ પણ ભાજપનું જ શાસન આવશે. વધુમા તેમણે કહ્યું હતું કે અમારી સજ્જનતાને નબળાઈ ન સમજતા અને વિરોધીઓને મર્યાદા ન વટવા ચોખ્ખા શબ્દોમા કહ્યું હતું. સભામા સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. ગામમાં પ્રવેશ કરવા નહીં દઇએ. તો પરિણામ બાદ સરકાર ભાજપની જ બનવાની છે. જેમા લોકોને આમ ડરાવનારાઓના બધા અડ્ડા બંધ કરી દેવામા આવશે.
કોંગ્રેસના રાજમાં ગુંડાઓનું રાજ ચાલતું હતું
વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, આ કઈ કોંગ્રેસનું શાસન નથી, કોંગ્રેસના રાજમાં ગુંડાઓનું રાજ ચાલતું હતું. અત્યારે તો છપ્પનની છાતીવાળા મોદીનું શાસન છે. બીજી કે ચૂંટણી છે એટલે જેટલા દબાવવા હોય એટલા દબાવી લઈએ તો એવા ભ્રમમા ન રહેવા જણાવ્યું હતું. ગુજરાતના લોકોને કોઈ ડરાવી નહીં શકે. આવા અસામાજિક તત્વોને જવાબ આપવા ભાજપના કાર્યકર્તા બેઠા છે.