બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / allahabad puja will continue inside vyasji tehkhana of gyanvapi masjid or not allahabad high court
Last Updated: 09:04 AM, 26 February 2024
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં તહખાનામાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવાનો અધિકાર આપવાના મામલે અલાહાબાદ હાઈકોર્ટ આજે સવારે 10 વાગ્યે નિર્ણય આપશે. વારાણસીના મુસ્લિમ પક્ષ (અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટી)એ પૂજા શરૂ કરવાના આદેશને હાઈકોર્ટમાં પડકારી છે.
ADVERTISEMENT
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગ બેન્ચ આ મામલે નિર્ણય આપશે. બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી કોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ આ નિર્ણય આપ્યો હતો. પાંચ કાર્ય દિવસની સુનાવણી પછી કોર્ટે જજમેન્ટ રિઝર્વ કરી લીધું હતું. હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટે સીનિયર એડવોકેટ સૈયદ ફરમાન અહમદ નકવી તથા યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધિવક્તા પુનિત ગુપ્તાએ તેમનો પક્ષ રજૂ કર્યો હતો. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ તરફથી અધિવક્તા વિનીત સંકલ્પે દલીલ રજૂ કરી હતી.
વધુ વાંચો: અમદાવાદમાં હરવા-ફરવાની 10 જગ્યાઓ જેમાંથી 3 જગ્યાઓ સૌથી ખાસ, બાળકોને જલસો પડી જશે
ADVERTISEMENT
જિલ્લા જજે જ્ઞાનવાપી મસ્જિદમાં તહખાનામાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવાનો નિર્ણય આપતા મુસ્લિમ પક્ષ અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જિલ્લા જજે 31 જાન્યુઆરીના રોજ તહખાનામાં પૂજા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા જજે પૂજા કરવાનો આદેશ આપતા તહખાનામાં મોડીરાત્રે પૂજા શરૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જિલ્લા જજના હાઈકોર્ટ પર રોક લગાવી નહોતી. જેથી વ્યાસજી તહખાનામાં પૂજા કરવામાં આવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.