બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / All students pass without examination in Tamilnadu

નિર્ણય / 9,10 અને 11ના વિદ્યાર્થીઓ વગર પરીક્ષાએ થશે પાસ, આ રાજ્યના મુખ્યમંત્રીની મોટી જાહેરાત

Kavan

Last Updated: 02:52 PM, 25 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તામિલનાડુ સરકારે ધોરણ અને 9,10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

  • 9,10 અને 11ના વિદ્યાર્થીઓ વગર પરીક્ષાએ થશે પાસ
  • તમિલનાડુના મુખ્યમંત્રીની મોટી જાહેરાત
  • વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે. 

વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જોતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા. 

શિક્ષણ મંત્રીએ શાળાઓ ન શરૂ કરવાની કરી વાત 

આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં 1થી8 માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય નથી લેવાયો.

સંકળાયેલા મુદ્દાઓ

Edappadi Palaniswami Tamilnadu તમિલનાડુ પરીક્ષા વિદ્યાર્થી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ