બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રી પર આ મંદિરમાં દર્શન આપે છે 'અજગર દાદા', જાણો માન્યતા અને રોચક કથા

ધર્મ / નવરાત્રી પર આ મંદિરમાં દર્શન આપે છે 'અજગર દાદા', જાણો માન્યતા અને રોચક કથા

Last Updated: 08:54 PM, 30 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશમાં આવેલા હરસિદ્ધ માતાના મંદિરના પરિસરમાં એક ગુફા આવેલી છે. જ્યાં એક અજગર રહે છે. આ અજગરથી ડરવાની જગ્યાએ લોકો તેમની પૂજા કરે છે.

ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જ્યાં અનેક ચમત્કાર પણ જોડાયેલા છે. આવું જ એક મંદિર મધ્યપ્રદેશના સાગરમાં બાઘરાજ વિસ્તાર આવેલું છે. જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. મંદિર પરિસરમાં એક ગુફા છે. તે ગુફામાં એક મોટો અજગર રહે છે. અહીંના અજગરથી ડરવાને બદલે લોકો તેમની દરરોજ પૂજા કરે છે. ગુફા મારફતે તેમને જળ ચઢાવવામાં આવે છે અને ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. અહીંના લોકો તેમને ‘અજગર દાદા’ કહીને બોલાવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન જે પણ તેમને જુએ છે તેમનું નસીબ ચમકે જાય છે.

વધુ વાંચો : નવરાત્રીના પ્રથમ નોરતે ચઢાવો આ ભોગ, માતા શૈલપુત્રી થશે પ્રસન્ન

આ મંદિરમાં એવી માન્યતા છે કે, અહીંયા અજગર દાદા રક્ષક તરીકે બિરાજમાન છે. તેના લીધે આજદિન સુધી આ સમગ્ર વિસ્તારમાં ક્યારેય કોઈને સાપ કરડવાની ઘટના બની નથી. ઘણા દાયકાઓથી લોકો અહીંયા આ ચમત્કાર જોઈ રહ્યા છે. અહીંયા જ્યારે પણ નવરાત્રિ આવે છે અથવા મંદિર પરિસરમાં કોઈ મોટી ધાર્મિક વિધિ કરવામાં આવે છે ત્યારે અજગર દાદા કાળા સાપ અથવા નાના અજગરના રૂપમાં દેખાડો આપે છે.

મંદિરની ગુફામાં 10-15 વર્ષ પહેલાં અજગર કેટલીક વખત ગુફાની બહાર બે-ત્રણ ફૂટ સુધી બહાર આવતા હતા. તેમની લંબાઈ  15-20 ફૂટ જેટલી હોતી. અને જાડાઈ ઘરના થાંભલા જેટલી હોતી. હવે તે ઘણા વૃદ્ધ થઈ ગયા છે જેથી લોકોએ તેમને ઘણા વર્ષોથી ગુફામાંથી બહાર નીકળતા જોયા નથી. આ વિસ્તારના લોકોની માન્યતા છે કે, તે આજે પણ સાક્ષાત રૂપમાં બિરાજમાન છે. તેમની કૃપાથી આ વિસ્તાર પહાડો, જંગલો અને ખેતરોથી ઘેરાયેલો હોવા છતાં અહીંયા કોઈને સાપ કરડવાની ઘટના બની નથી.

  • અજગરના રૂપમાં દાદા
    આ મંદિરના પૂજારી પુષ્પેન્દ્ર મહારાજનું કહેવું છે કે, તેમનું બચપણ અહીંયા જ પસાર થયું છે. ત્યારથી લઇ અત્યાર સુધી અનેક વખત મંદિરમાં બાઘરાજ દાદાના રૂપમાં ચમત્કાર જોવા મળ્યા છે. નવરાત્રી કે મંદિરમાં બીજો કોઈ અનુષ્ઠાન હોય ત્યારે અજગર દાદાના દર્શન થાય છે. જો તેમના દર્શન થઈ જાય તો તેમનો આશીર્વાદ મળી ગયો તેમ મનાય છે. ત્રીજી ઓકટોબરથી નવરાત્રિ શરુ થવાની છે જેથી આ દરમિયાન અજગર દાદા જરૂરથી દર્શન આપશે.
PROMOTIONAL 4

મંદિરના પૂજારીએ આગળ જણાવ્યું કે, જ્યારે અજગર દાદા દર્શન આપે છે ત્યારે લોકોના ટોળા તેમને જોવા ઉમટી પડે છે. લોકો તેમને સ્પર્શ કરે છે, તેમને પ્રણામ કરે છે, ફૂલ અર્પણ કરે છે. પરંતુ આજ સુધી કોઈને તેમનાથી નુકસાન થયું નથી. અહીંયા પૂર્વજો કહી ગયા છે કે બાઘરાજ દાદાની કૃપાથી અહીંયા આવી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને.

સંકળાયેલા મુદ્દાઓ

Temple Religion Harsiddhi Mata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ