રાજય સરકાર સામે પડતર માંગણીઓ સંદર્ભમાં તલાટીઓ આંદોલન ચલાવી રહયાં છે. સરકાર તરફથી કોઇ પ્રતિભાવ ન મળતાં હવે મહામંડળે આંદોલનની ચીમકી આપી
સરકારની બાંહેધરી છતાં 3 વર્ષ સુધી માંગણીઓનો અમલ ન કર્યું
પડતર માંગણીઓ લઈને રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી
સરકાર તરફથી કોઇ પ્રતિભાવ ન મળતાં હવે મહામંડળે આંદોલના માર્ગે
રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન અને પેનડાઉનના કાર્યક્રમો યોજાશે
રાજ્ય સરકારમાં પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે.છતાં તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ પણ માંગણીઓ સ્વીકારી નથી. ત્યારે અગામી 13 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.જેમાં સૌ પ્રથમ 13 સપ્ટેમ્બરે તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે ત્યાર બાદ 20 સપ્ટેમ્બર તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરશે. 27 સપ્ટેમ્બર તલાટી ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે
તલાટીઓની હડતાળથી કામગીરી અટકી પડે તેવા એંધાણ
રાજ્ય તલાટી મહામંડળ સાથે રહીને પોતાની પડતર માંગણીઓને સાથે અવાર- નવાર રજૂઆત કરી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી કર્યો. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડે તેવા એંધાણ છે