બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક પોસ્ટ આવી ખૂબ ચર્ચામાં
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર એક્ટર છે અને સર્જરી બાદ તેમણે એક પોસ્ટ લખી છે જે ખૂબ ચર્ચામાં આવી છે. તેમણે તેમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે જે તેમનાં ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેન્સ માટે લખી એક કવિતા
અમિતાભ બચ્ચનને આંખોમાં મોતિયાની તકલીફને લીધે સર્જરી કરાવવી પડી છે. હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને તેઓ ઘરે પણ પહોંચી ગયા છે. તે દરમિયાન તેમણે એક પોસ્ટ દ્વારા તેમનાં ફેન્સને પોતાનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે. હોસ્પિટલથી રજા મળ્યા બાદ અમિતાભ બચ્ચને તેમનાં ફેન્સ માટે એક ખાસ કવિતા લખી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક્ટરે કવિતાની સાથે પોતાની એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેમનાં ફેન્સની સાથે ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ તેમની આ કવિતાનાં વખાણ કર્યા છે અને તેમની આ પોસ્ટ પર 3 લાખથી વધારે લાઇક્સ મળ્યા છે જ્યારે ફેન્સ સતત તે પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
ફેન્સની માફી માંગી
સર્જરી સફળ થયા બાદ ઘરે પરત ફરેલા અમિતાભ બચ્ચને તેમને ફેન્સની માંફી પણ માંગી હતી. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, આ ઉંમરમાં આંખની સર્જરી કરાવવી થોડી નાજુક છે, રિકવરી પણ ધીમે ધીમે થશે. 78 વર્ષનાં અમિતાભ બચ્ચને સોમવારે તેમનાં બ્લોગ પર લખ્યુ કે આંખને સ્વસ્થ થવાની ગતિ ધીમી છે. તો તેવામાં ટાઈપ કરવામાં કોઈ ભુલ થાય તો તેનાં માટે માફ કરી દેજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.