બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / વિશ્વ / After receiving the ultimatum from India, Canada started to move their ambassadors to Malesia and Singapore
Vaidehi
Last Updated: 05:51 PM, 6 October 2023
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડાનાં સંબંધો સતત બગડી રહ્યાં છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે કેનેડાને આપેલ અલ્ટિમેટમ બાદ કેનેડાએ ભારત સ્થિત પોતાના રાજદૂતોની સંખ્યા ઘટાડવાનું કામ શરૂ કર્યું છે.
10 ઑક્ટોબર સુધીનો આપ્યો હતો સમય
રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ ટ્રૂડો સરકારે નવી દિલ્હીમાં પોતાના હાઈ કમિશનથી કર્મચારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થળાંતરિત કરી દીધાં છે.
આ દેશોમાં સ્થળાંતરિત કર્યાં
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે. કેનેડિયન મીડિયા સીટીવીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાએ પોતાના મોટાભાગનાં રાજદૂતોને ભારતથી નિકાળીને મલેશિયા અથવા તો સિંગાપોર સ્થળાંતરિત કરી દીધાં છે. પરંતુ નવી દિલ્હીથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બંને દેશોની વચ્ચેનાં સંબંધો બગડ્યાં
કેનેડા મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાએ આ કામ ત્યારે શરૂ કર્યું જ્યારે ભારતે આ અઠવાડિયાની શરૂઆતમાં કેનેડાને પોતાનાનાં દૂતાવાસમાં કામ કરી રહેલાં રાજદૂતોની સંખ્યા ઓછી કરવા માટે કહ્યું હતું. ખાલિસ્તાની અલગાવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનાં કેનેડાનાં પ્રધાનમંત્રી ટ્રૂડોનાં આરોપો બાદ બંને દેશોની વચ્ચેનાં સંબંધો બગડ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime