બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાનાએ પોતાના સંગઠનના સદસ્યોની સાથે શનિવારે જમવારામગઢ ગામમાં ચાલી રહેલી ફિલ્મની શુટિંગને રોક્યું અને નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીને શુટિંગ બંદ કરવા માટે પણ કહ્યું. ચંદ્રપ્રકાશે ભરોસો આપતા કહ્યું કે ફિલ્મની સ્ક્રીપ્ટમાં ઈતિહાસિક તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. જો કે, તેમ છતાં, કરણી સેનાએ લેખિતમાં આશ્વાસનની માંગ કરી. માહિતીઅનુસાર, જ્યારે સેટ પર આ હોબાળો મચ્યો ત્યારે અક્ષય કુમાર સેટ પર હાજર ન હતા.
ADVERTISEMENT

હાલમાં આ મુદ્દે વાત કરતા મહિપાલ સિંહ માંકરાનાએ જણાવ્યું, ફિલ્મના નિર્દેશક ચંદ્ર પ્રકાશ સાથે આ ફિલ્મની સ્ક્રીપ્ટ અંગે વાત થઇ ગઈ છે. અમે તેને જણાવી દીધું છે કે, ઇતિહાસના તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં. તેમણે આગળ જણાવ્યું, 'પૃથ્વીરાજ ચૌહાણને ફિલ્મમાં પ્રેમી બતાવવામાં આવશે નહીં. નિર્દેશકને ખાતરી આપી છે કે ફિલ્મમાં આવી કોઈ વસ્તુ નહીં હોય પરંતુ અમને લેખિતમાં આશ્વાસન જોઈએ છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કરણી સેના પદ્માવત માટે નુકશાનકારક બની ગઈ હતી. ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલી સાથે મારપીટ પણ થઇ હતી ફિલ્મને અંત સુધી રાજસ્થાનમાં રીલીઝ થવા દીધી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.