બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / After Chandrayaan-3 now good news in India about Surya mission too, ISRO got big success in Aditya L-1
Priyakant
Last Updated: 08:54 AM, 1 October 2023
Aditya L1 Mission : ચંદ્રયાન-3 મિશનમાં મળેલી સફળતા બાદ ISROએ શનિવારે ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 વિશે સારા સમાચાર આપ્યા છે. સ્પેસ એજન્સીએ કહ્યું છે કે, હવે તેનું અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે. અત્યાર સુધી આદિત્ય-L1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.
શું કહ્યું ISROએ ?
રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ 'X' પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આદિત્ય-L1 એ પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ-1(L1) તરફ આગળ વધી રહ્યું છે. આ બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલી શક્યું છે. પ્રથમ વખત માર્સ ઓર્બિટર મિશનમાં મોકલવામાં આવ્યું છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 30, 2023
🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth's influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1).
🔸This is the second time in succession that…
મહત્વનું છે કે, ISROએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આદિત્ય-L1 સૌર મિશન અવકાશયાન એ ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે જે વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, L1ની આસપાસ એકત્રિત કરવામાં આવેલ ડેટા એનિસોટ્રોપી, સૌર પવનની ઉત્પત્તિ અને અવકાશના હવામાનની ઘટનાની સમજ આપશે. નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરના રોજ ISRO દ્વારા PSLV-C57 રોકેટ દ્વારા આદિત્ય-L1નું પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આદિત્ય-L1 અવકાશયાન સૂર્યનો અભ્યાસ કરવા માટે કુલ સાત જુદા જુદા પેલોડ વહન કરે છે. તેમાંથી ચાર સૂર્યમાંથી પ્રકાશનું અવલોકન કરશે અને બાકીના ત્રણ પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રના ઇન-સીટુ પરિમાણોને માપશે. તમને જણાવી દઈએ કે, આદિત્ય L1માં બે મુખ્ય પેલોડ છે, વિઝિબલ એમિશન લાઇન કોરોનોગ્રાફી (VELC) અને સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT).
1,440 ઈમેજીસ ટ્રાન્સમિટ કરશે VELC પેલોડ
મહત્વનું છે છે કે, લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચ્યા પછી VELC પેલોડ દરરોજ 1,440 ઈમેજીસ ટ્રાન્સમિટ કરશે. તેથી આ પેલોડને આદિત્ય-L1 નું ખૂબ જ મહત્વપૂર્ણ પેલોડ માનવામાં આવી રહ્યું છે. આદિત્ય-L1 ને લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. તે સૂર્યની આસપાસ સમાન સંબંધિત સ્થિતિમાં પરિભ્રમણ કરશે અને તેથી સતત સૂર્યનું અવલોકન કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime