બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / વિશ્વ / Afghanistan taliban declared after meeting with kabul gurudwara committee that hindu and sikh community is safe and should not worry
Mayur
Last Updated: 10:18 AM, 20 August 2021
અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ પાછું આવ્યું છે ત્યારથી ફરી અલ્પસંખ્યકો અને મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. લઘુમતીઓને ચિંતા સતાવી રહી છે કે હવે તેઓને તાલિબાનોથી મોટો ખતરો હોવાના કારણે તેમણે દેશાંતર કરી જવું કે નહીં? ભારત પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ સમુદાયના લોકોને શરણ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. પરંતુ આઅ બધાની વચ્ચે તળીબાનોનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમાજ સુરક્ષિત
તાલિબાનોએ ભાર આપીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો એક્દમ સુરક્ષિત છે. આ નિવેદન તાલિબાનોએ કાબૂલ ગુરદ્વારા કમિટી સાથે મિટિંગ બાદ આપ્યું હતું. તાલિબાનોએ આશ્વાસન આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોને પરેશાન નહીં કરવામાં આવે અને તેમણે પૂરતી સુરક્ષા મળશે. તાલિબાન સંગ કાબુલ ગુરદ્વારા કમિટી દ્વારા કરવામાં આવેલી આઅ મિટિંગની તસવીર પણ સામે આવી હતી જય ઘણા તાલિબાની નેતાઓ બેઠેલા જોઈ શકાય છે.
200 લોકોએ ગુરદ્વારામાં લીધી હતી શરણ
થોડા વખત પહેલા જ સમાચાર આવ્યા હતા કે કાબુલમાં એક ગુરુદ્વારામાં તાલિબાનોના ડરના કારણે 200 લોકોએ શરણ લીધી હતી. આમાં મોટાભાગના હિન્દુ અને શીખ સમુદાયના લોકો હતા. કેટલાક લોકો તો અમેરિકા કે કેનેડા જવાનું પણ નક્કી કરી ચૂક્યા છે. કારણ કે કોઈને તાલિબાનો પર ભરોસો નથી.
આ અગાઉ ભારતના પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાન મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો કે અફઘાનિસ્તાનમાંથી જે પણ હિંદુઓ અને શીખો ભારત આવવા માગતા હોય તેમને દેશમાં શરણું આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યું કે ભારતે ન માત્ર પોતાના નાગરિકોની ચિંતા કરવી જોઈએ પરંતુ આપણે સિખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ શરણ આપવી જોઈએ જે ભારત આવવા માંગે છે. આપણે તમામ સંભવ મદદ આપવી જોઈએ. મદદ માટે ભારત તરફ દેખી રહેલા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવામાં આવે.
પીએમ મોદીએ આજે સીસીએસની બેઠકમાં અધિકારીઓને ભારત તરફથી મદદની રાહ જોઈ રહેલા તમામ અફઘાન નાગરિકોને મદદ પૂરી પાડવા સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime