ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:30 PM, 2 June 2026
ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ વર્ષે એક અનોખી ક્રિકેટ સિરીઝ રમાવાની છે. ખાસ વાત એ છે કે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાન ભારતની મેજબાની કરશે. જોકે, આ મેચો અફઘાનિસ્તાનમાં નહીં પરંતુ ભારતની રાજધાની નવી દિલ્હીમાં રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. આ મેચો 13, 16 અને 19 સપ્ટેમ્બરના રોજ રમાવાની સંભાવના છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે રિટર્ન ટૂર માટે સંપર્ક કર્યો હતો. BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સારા સંબંધો હોવાથી બંને બોર્ડ વચ્ચે આ સિરીઝ અંગે સહમતિ બની છે. હવે કેટલીક ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો આ સિરીઝ દિલ્હીમાં યોજાશે તો દિલ્હી પ્રીમિયર લીગ T20ના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) આ સંભાવનાને ધ્યાનમાં રાખીને પોતાનો કાર્યક્રમ તૈયાર કરી રહ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL બાદ હવે શરૂ થવા જઇ રહી છે LPL, જુઓ ક્યારથી અને રમશે કેટલા ભારતીય ક્રિકેટરો?
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી ચાલી રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને કારણે તેની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના હોમ મેચો ભારત અને યુએઈમાં રમે છે. અગાઉ અફઘાનિસ્તાને ગ્રેટર નોઇડા અને દેહરાદૂનમાં પણ આંતરરાષ્ટ્રીય સિરીઝની મેજબાની કરી હતી. હવે પ્રથમ વખત તે ભારત સામેની સિરીઝમાં ભારતની જ મેજબાની કરતું જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ