બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Aditya-L1 mission: Aditya-L1 reached 9.2 lakh km from Earth, a feat achieved for the first time by a Mars mission
Pravin Joshi
Last Updated: 07:53 PM, 30 September 2023
સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. ઈસરોએ શનિવારે ભારતના સૂર્ય મિશનને લઈને મોટી માહિતી શેર કરી. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને છોડી દીધું છે અને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં ઈસરોએ કહ્યું કે હવે આ અવકાશયાન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલવામાં સફળ રહ્યું છે. માર્સ ઓર્બિટર મિશન દરમિયાન આ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 30, 2023
🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth's influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1).
🔸This is the second time in succession that…
1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે
નોંધનીય છે કે આદિત્ય એલ-1 4 મહિનામાં 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ-1 એ બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે. અહીં રહેવા માટે કોઈ સાધનસામગ્રીને વધારે ઊર્જાની જરૂર નથી. આવી સ્થિતિમાં આદિત્ય એલ-1 સતત સૂર્ય પર નજર રાખી શકે છે અને તેનો અભ્યાસ કરી શકે છે. આદિત્ય એલ-1માં ફાયરિંગ દ્વારા જ તેને એલ-1 પર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.
લેગ્રેન્જ પોઈન્ટ 1 શું છે?
લેગ્રેન્જ પોઈન્ટ એ સંતુલન બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સમાન છે. આદિત્ય L1 ને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટ દૂર છે. આદિત્ય-L1 મિશનનો ઉદ્દેશ્ય L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે અને સાથે જ ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)ને વિવિધ વેવ બેન્ડમાં અવલોકન કરવાનો છે. આદિત્ય L-1 અભ્યાસ માટે તેની સાથે સાત પેલોડ લઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime