બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:24 PM, 10 January 2026
અયોધ્યાના રામ મંદિરમાં નમાજ અદા કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. પોલીસે આરોપીની ઓળખ અબ્દુલ અહેમદ શેખ તરીકે કરી છે. આરોપી પાસે મળેલા આધાર કાર્ડ મુજબ, તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે. તમને જણાવી દઈએ કે પોલીસે શનિવારે આરોપીની તે જ સમયે ધરપકડ કરી હતી. જ્યારે તે મંદિર પરિસરમાં નમાજ પઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ADVERTISEMENT
બીજા લોકોએ પણ નમાઝ પઢવાની કરી કોશિશ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરમાં અન્ય ઘણા લોકોએ પણ નમાઝ પઢવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ પોલીસ અન્ય લોકોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.
ADVERTISEMENT
પૂછપરછ કરી રહી છે પોલીસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, નમાઝ પઢતા રોકવામાં આવ્યા બાદ, તેણે એક વિશેષ સંપ્રદાયના નારા લગાવવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તેની અટકાયત કરી, કસ્ટડીમાં કરાયેલ વ્યક્તિની અનેક ગુપ્ત એજન્સી અને પોલીસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ મામલે જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. જાણવા મળ્યું છે કે, આરોપી વ્યક્તિએ દક્ષિણ કિલ્લામાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી.
ADVERTISEMENT
શ્રદ્ધાળુઓની ગઇ નજર
કહેવાય છે કે આરોપી વ્યક્તિ રામ મંદિર સંકુલના દક્ષિણ કિલ્લા પર નમાઝ પઢી રહ્યો હતો ત્યારે કેટલાક ભક્તોએ તેને જોયો. સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.