બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / A stray dog mauled a 5 year old girl in Rajkot! Death on the spot, flesh tendons seen outside

બેદરકારી / રાજકોટમાં રખડતા શ્વાને 5 વર્ષની બાળકીને બચકાં ભરી છૂંદી નાખી! ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા બહાર દેખાયા

Vishal Khamar

Last Updated: 12:01 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાને બાળકીને બચકા ભરતા 5 વર્ષની બાળકીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાજકોટમાં રખડતા શ્વાનનો વધ્યો આતંક
  •  5 થી 7 રખડતા શ્વાનોએ 5 વર્ષની બાળકીને બચકા ભર્યા
  • ઘટનાને લઇને લોકોના ટોળા થયા એકઠા

 રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનને કારણે 5 વર્ષીય એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન 5 થી 7 જેટલા રખડતા શ્વાન બાળકી પર તૂટી પડ્યા હતા. જે બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.

પાલિકાની બેદરકારીનાં કારણે બાળકી મોતને ભેટીઃ સ્થાનિકો
આ ઘટનાં બનતા માર્ગ પરથી પસાર થઈ રહેલા લોકો બાળકીને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતું ત્યાં સુધી બાળકીનું પ્રાણ પંખેડુ ઉડી જવા પામ્યું હતું.  ત્યારે આ બાબતે આજુબાજુનાં રહીશોએ જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં વોકળાનાં કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભેગા થતા હોય છે. આ બાબતે અનેક વખત રહીશો દ્વારા રાજકોટ મહાનગર પાલિકામાં લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજે નિર્દોષ બાળકી  મોતને ભેટી હતી. 

પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા
રાજકો મહાનગર પાલિકા દ્વારા રખડતા કૂતરાનાં ત્રાસને લઈ ખસીકરણ અભિયાનને વેગવંતું બનાવી હતી. પરંતું લાખો રૂપિયાનાં ખર્ચ કરી ખસીકરણની કામગીરી થઈ હોવાનાં બણગા મહાનગર પાલિકા દ્વારા ફૂંકવામાં આવ્યા હતા. પરંતું આ ઘટના બાદ મહાનગર પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ