બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 07:34 AM, 31 December 2023
આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મુસ્લિમ મહિલા મતદારોને પોતાની તરફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. આગામી 2 જાન્યુઆરીના ઉત્તરપ્રદેશમાં શુક્રિયા મોદી ભાઈજાન નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં ઓછામાં ઓછી 1 હજાર મુસ્લિમ મહિલાઓને જોડવાનું લક્ષ્ય છે. મુસ્લિમ મહિલા મતદારોને રિઝવવા માટે આ યોજનાની ટેગલાઈન પણ રાખવામાં આવી છે.. આ ટેગલાઈન 'ન દુરી હૈ ન ખાઈ હે, મોદી હમારા ભાઈ હે' રાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ જણાવ્યું કે ‘શુક્રિયા મોદી ભાઈજાન’ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના માટે કરવામાં આવેલા કાર્યો વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે જ એ પણ જણાવવામાં આવશે કે મુસ્લિમ મહિલાઓ શા માટે ભાજપની સરકારને મત આપવો જોઈએ.
મુસ્લિમ બાળકોને શિષ્યવૃતિ સહિતની યોજનાઓ વિશે સમજાવવામાં આવશે.
લઘુમતિ મોરચાના અધ્યક્ષે જણાવ્યું કે અલગ અલગ વિસ્તારમાં સંમેલનો કરીને મુસ્લિમ મહિલાઓને અલગ અલગ યોજનાઓ વિશે માહિતગારકરવામાં આવશે. જેમ કે ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, હજ ક્વોટામાં વધારો, મુસ્લિમ બાળકોને શિષ્યવૃતિ સહિતની યોજનાઓ વિશે સમજાવવામાં આવશે.
મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
અલીએ કહ્યું કે આ અભિયાન આગામી 2 જાન્યુઆરીએ યોજવામાં આવશે. જે આગામી 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓની મુસ્લિમ મહિલાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને આભારનું મેમોરેન્ડમ પણ આપ્યું હતું અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાચા અર્થમાં ભાઈ-બહેનનો સંબંધ કાયમ માટે સ્થાપિત કર્યો
આમ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં ગત વખત કરતા વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે ભારતીય જનતા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અભિયાનને ‘શુક્રિયા મોદી ભાઈજાન’ નામ આપવા પાછળનું પણ એક મોટું કારણ છે. જે એ છે કે મોદીએ વિવિધ યોજનાઓમાં મુસ્લિમ મહિલાઓને પ્રાથમિકતા આપીને સાચા અર્થમાં ભાઈ-બહેનનો સંબંધ કાયમ માટે સ્થાપિત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh