બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / A major tragedy in Delhi's Alipur, 11 people died when a fire broke out in a chemical warehouse
Last Updated: 08:18 AM, 16 February 2024
ADVERTISEMENT
ગુરુવારે સાંજે દિલ્હીના નરેલા નજીક અલીપુર વિસ્તારમાં પેઇન્ટ અને કેમિકલના ગોડાઉનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી
ADVERTISEMENT
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે દિલ્હીના અલીપોરમાં બે પેઇન્ટ અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી આગમાં 11 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. મૃતકોને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ચાર ઘાયલોની રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.
તે જ સમયે, આગની ઝપેટમાં આવેલા અલીપુરની પેઇન્ટ ફેક્ટરીમાં કામ કરતા મજૂરના સંબંધી સુનીલ ઠાકુરે કહ્યું કે હું અહીં મારા ભાઈ અનિલ ઠાકુરને શોધવા આવ્યો છું. કંઈ સમજાતું નથી. તે પેઇન્ટ ફેક્ટરી હતી. કોઈ માહિતી ઉપલબ્ધ નથી, તેનો ફોન સાંજે 5 વાગ્યાથી બંધ છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ આજે ભારત બંધનું એલાન: કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ, અનેક ટ્રેનો ડ્રાયવર્ટ
અલીપોર આગના પ્રત્યક્ષદર્શી સુમિત ભારદ્વાજે જણાવ્યું કે આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને બધા અહીં ભેગા થઈ ગયા. અમે આગને ઓલવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. 7-8 જેટલા ફાયર ટેન્ડરો પણ અહી પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.