બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / A major decision on education could be taken in August, the state government will formally announce

શિક્ષણ સમાચાર / ઓગસ્ટ મહિનામાં લેવાઈ શકે છે મોટો નિર્ણય, રાજ્ય સરકાર કરશે વિધિવત રીતે જાહેરાત

Kiran

Last Updated: 04:32 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ સરકાર દ્વારા આગામી સમયામાં વિધિવત જાહેરાત કરવામાં આવી શકે છે.

  • ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે 
  • ઓગસ્ટ મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય
  • ધોરણ 6 થી 8 પછી ધોરણ 1 થી 5 અંગે વિચાર

કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે હવે કેસ ઘટી જતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થયા છે ત્યારે હવે રાજ્યા સરકાર 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે. 




 

ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે 

ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા શિક્ષણ વિભાગની તૈયારી શરૂ કરી દીધી છે જેને લઈ શાળાના વર્ગની સાફ-સફાઈ માટે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે લાંબા સમય બાદ હવે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યુ છે જે માટે આજથી 9 થી 11 ધોરણ માટે ઓફલાઈન વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.  જ્યારે હવે સરકાર ઓગસ્ટ મહિનાથી ધોરણ 6 થી 8 વર્ગ શરૂ કરવાનું વિચારી રહી છે અને 15 ઓગસ્ટ બાદ ધોરણ 1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે વિચારણાં કરી રહી છે. 


વાલીના સંમતિપત્રક સાથે વિદ્યાર્થીઓ આવી શકશે

જો કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત કરી દેવામાં આવી છે અને વર્ગોમાં 50 ટકા ક્ષમતા સાથે જ વર્ગો શરૂ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે વાલીઓના સંમતિપત્રક સાથે જ વિદ્યાર્થીઓ શાળામાં આવી શકશે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે કોરોના કેસની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ હવે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. જે બાદ સરકાર દ્વારા આગામી સમયામાં વિધિવત જાહેરાત કરવામાં આવી શકે છે. 





 

આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ 

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા એવું  નિવેદન આપવામાં આવ્યું કે આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ આગામી દિવસોમાં કોરાના કાબૂમાં હશે તો બીજા વર્ગો પણ શરૂ કરવામાં આવી શકે છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ તેમજ ધોરણ 12ના વર્ગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
 



 

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ 

જોકે હવે આજથી 9 થી 11ના વર્ગો પણ શરૂ થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંકને ક્યાક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બીજા પણ વર્ગો શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે કોર કમિટીની બેઠક યોજાશે. 




 

ઓનલાઈન શિક્ષણ ફરજિયાત 

બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે ટૂંક સમયમાં હવે કયા વર્ગો શરૂ કરવામાં આવે. જોકે આ સમગ્ર મામલે શિક્ષણમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફરિજીયાત નહી આવવું પડે. ઉપરાંત શિક્ષણમંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ફરજીયાત રાખવુંજ પડશે.

ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ 

ઊલ્લેખનીય છે કે કોરોનાના કેસ જેમ જેમ ઘટી રહ્યા છે. તેમ તેમ સરકાર દ્વારા પાબંદીઓ હટાવામાં આવી રહી છે. જોકે હાલ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેમજ ડેલ્ટા વેરિએંટને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Education Goverment રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ શિક્ષણ સમાચાર Gujarat Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ