બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A letter was written to Gulab Singh and Ganiben to pay the 500 crores announced by the Gujarat government for Gaushala Panjarapol immediately
Vishnu
Last Updated: 06:57 PM, 14 September 2022
રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય આપવા અંગે જાહેરાત કરી હતી. જે તે સામે સરકારે જાહેરાત કરીને 500 કરોડ રૂપિયા ચૂકવવા અંગે નિર્ણય લીધો હતો. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચુક્વતા સંચાલકો લાલઘૂમ થયા છે.બે ગૌ ભક્તો (૧) રાણા ભાઈ રાજપૂત (૨) રમેશભાઈ ગામોટ એ અન્નનો ત્યાગ કરી થરાદ ખાતે ધરણાં ચાલુ કર્યા છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
બંને કોંગી ધારાસભ્ય દ્વારા પત્રમાં શું માંગ કરાઈ
ગુજરાત સરકાર દ્વારા આશરે આઠેક માસ પહેલા ગુજરાત સરકારના બજેટ'માં ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળની ગૌ-માતા માટે રૂપિયા ૫૦૦ (પાંચશો)કરોડ આપવાની જાહેરાત કરેલ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ નાણાં ગૌ શાળાઓને ચૂકવવામાં આવેલ નથી જેના માટે ગૌશાળા સંચાલકો તથા ગૌ ભક્તો સંતો મહંતો દ્વારા આ ૫૦૦ કરોડની માગણી માટે અલગ અલગ સ્તરે સરકારને રજૂઆત કરવા છતાં અને ગૌ શાળા સંચાલકો અને ગૌ ભક્તોએ વિનંતી કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક પત્યુતર મળેલ નથી કે ફળદાઇ કામ થયેલ ન હોય
રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં કરી છે 500 કરોડની સહાય
નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાલ ૧૭૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં 75 હજાર જેટલા રખડતા બિનવારસી , કતલખાને જતા અને બીમાર પશુઓને સાર સંભાળ રાખવામાં આવી રહી છે. જિલ્લાની મોટા ભાગની ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર ચાલતી હતી. તેવામાં આવેલી કોરોના મહામારી બાદ દાનની સરવાણી ઘટી પડતાં ગૌશાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા હતા આ દરમિયાન ગુજરાત સરકારે 2022-23ના બજેટમાં ગૌશાળાઓને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ સહાયને લઈને દાન આવતું બંધ થયું છે અને હવે સરકાર દ્વારા પણ સહાય ન ચૂકવાતા ગૌધનના નિભવમાં મુશ્કેલી પડી રહી છે.
ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય ક્યારે?
મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય આપે છે. જેમાં ગૌ શાળામાં રહેલા પશુધનના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. પણ ગુજરાતમાં આવી કોઈ સુવિધા નથી. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. પણ તેની અમલવારી યોગ્ય રીતે થતી ન હોવાના ગૌ શાળા સંચાલકો આરોપો કરી રહ્યા છે. રજિસ્ટર્ડ ગૌ શાળાના પશું દીઠ 30 રૂપિયાની સહાય જાહેર કરી હતી પણ તે આજની તારીખ સુધી ન અપાઈ હોવાનો દાવા સાથે હવે ગૌભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime