બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big statement from the Meteorological Department regarding 'Biporjoy' amid heavy rain forecast
Malay
Last Updated: 09:38 AM, 16 June 2023
કચ્છના જખૌ પોર્ટ નજીક ગઈકાલે રાત્રે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું હાલ જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે. આ વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે હવે વાવાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાએ ઉત્તરપૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ નજીક રાત્રે 11થી 11.30 વાગ્યા દરમિયાન લેન્ડફોલ થયું હતું. લેન્ડફોલ સમયે 125થી 140 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાયો હતો.
હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
વાવાઝોડું જખૌ પોર્ટથી 10 કિમી દૂર ઉત્તર દિશામાંથી થયું પસાર હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડફોલ 10.30થી 11.30 સુધી થયું હતું. હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે.
દરિયાકિનારેથી 9 અને 10 નંબરનું સિગ્નલ હટાવાશે
તેમણે જણાવ્યું છે કે, આજે ઉ.ગુજરાત અને દ.ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. વાવાઝોડું નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મ થયાં બાદમાં ડિપ્રેશન બની પૂર્ણ થશે. વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત્ રહેશે. દરિયાકિનારેથી 9 અને 10 નંબરનું સિગ્નલ હટાવાશે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી
તેમણે જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના યથાવત છે.
શું કહ્યું IMDએ ?
IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત બિપોરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. ચક્રવાત હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. તેમણે કહ્યું કે, 16 જૂનની સાંજે ચક્રવાતી તોફાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ
વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામ તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજમાં 5, અંજાર અને મુન્દ્રામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો દ્વારકાના ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 29 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime