બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / 9 june in Gujarat New Corona Cases Update from all city

મહામારી / ગુજરાતમાં કોરોનાના નવા કેસ માત્ર 644, આ 33 શહેરમાં આજે એકપણ મોત નહીં

Shyam

Last Updated: 07:46 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 644 નવા કેસ નોંધાયા તો 10 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,675 દર્દીઓ સાજા થયાં

  • ગુજરાતમાં ઘટ્યું કોરોના સંક્રમણ
  • ગત 24 કલાકમાં કોરોનાના 644 નવા કેસ નોંધાયા 
  • આજે ગુજરાતમાં 1,675 દર્દીઓ સાજા 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 644 નવા કેસ નોંધાયા છે, તો 10 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે. 

છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,965 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,675 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,94,703 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 346 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 13,683 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

ગુજરાતના 33 શહેરમાં એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોનાના નવા કેસની સાથે મોતનો આંકડો પણ ખૂબ તળીયે આવી ગયો છે, તો 33 શહેરમાં એકપણ મોત નોંધાઈ નથી, જ્યારે સૌથી વધુ 3 મોત અમદાવાદ અને અન્ય શહેરોમાં માત્ર 1-1 મોત નોંધાઈ છે.

અત્યાર સુધીમાં 1,91,80,865 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,91,80,865 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,66,222 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 93 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 63 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 37 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ