બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th Pay Commission: 8માં વેતન પંચ લાગૂ થવામાં વિલંબ થાય તો કેટલું એરિયર મળશે? સમજો આખું ગણિત
6 ફોટો ગેલેરી
Last Updated: 05:17 PM, 16 August 2026
1/6
8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં આતુરતાનો માહોલ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પંચ ક્યારે સંપૂર્ણ રીતે લાગુ થશે અને જો તેમાં વિલંબ થાય તો કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે. સોશિયલ મીડિયા પર એરિયર્સમાં કાપ મૂકાવાની અફવાઓ વચ્ચે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેન (NFIR) ના વર્કિંગ પ્રેસિડેન્ટ બી. સી. શર્માએ સ્પષ્ટ કર્યું છે કે જો 8મું પગાર પંચ પાછળથી અમલી બને તો કર્મચારીઓને પૂરું એરિયર્સ મળવું જોઈએ.
2/6
8મું પગાર પંચ 1 January 2026 થી અમલી ગણવાનું હતું, પરંતુ પંચનો આખરી રિપોર્ટ અને સરકારની મંજૂરી બાકી હોવાથી હાલ કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળી રહ્યો છે. જો નવી સુધારેલી સેલેરીનું ચુકવણું April 2027 થી શરૂ થાય, તો આશરે 15 મહિનાનું એરિયર્સ એકઠું થઈ શકે છે.
3/6
પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેનાથી ન્યૂનતમ બેઝિક સેલેરી રૂ. 7,000 થી વધીને રૂ. 18,000 થઈ હતી. 8મા પગાર પંચમાં કર્મચારી મંડળો 3.68 ની માંગણી કરી રહ્યા છે, પરંતુ જો સરકાર તેને 2.86 રાખે તો ગણતરી નીચે મુજબ રહેશે.
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ