બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
'Safe In India' સહિત ઘણા એનજીઓ તરફથી દિલ્હીના બહારના વિસ્તાર માનેસર અને બાવલમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. કેન્દ્ર સરકારની તરફથી ઘણીવાર વેતનમાં કાપ ન કરવાની અપીલ કર્યા બાદ પણ આ સ્થિતિ જોવા મળી રહી છે.

ADVERTISEMENT
માર્ચમાં માત્ર 25 ટકા શ્રમિકો એવા હતા જેમને પુરે-પુરો પગાર મળી શક્યો નહોતો. પરંતુ હવે એપ્રિલના મહીનામાં 76 ટકાથી વધારે શ્રમિકોને વેતન ન મળી શકવું બતાવી રહ્યું છે કે લૉકડાઉને સતત આગળ વધારવાને પગલે કંપનીઓની આર્થિક સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થયિ છે.
Safe In Indiaના સીઇઓ અને સહ સંસ્થાપક સંદીપ સચદેવાએ કહ્યું, સરકારે આ સંકટ વિશે સમજવું જોઇએ. એવી સ્કીમ લાગુ કરવી જોઇએ જેથી અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ ભાગ કહેવામાં આવતા શ્રમિકોની ચિંતા કરવામાં આવી શકાય. તેઓએ કહ્યું કે સરકારોએ શ્રમિકોને સંકટથી બહાર લાવવા માટે કેશ ટ્રાન્સફરની ફોર્મૂલા પર કામ કરવું જોઇએ.
ADVERTISEMENT

જોકે હરિયાણા સરકારે આ પ્રકારનો પ્રયાસ કર્યો છે અને મજૂરોને દર સપ્તાહે 1,000 રૂપિયા આપવાની વાત કહી છે. જોકે આ નિર્ણય માત્ર સ્થાનિક શ્રમિકો માટે જ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી પણ આ પ્રકારનું સૂચન આપી ચૂક્યા છે.
ADVERTISEMENT
ગત દિવસોએ તેઓએ કહ્યું હતું કે જો સરકાર ભારતમાં માંગ વધારવા માંગે છે તો તેણે પ્રત્યેક વ્યક્તિના ખાતામાં 1,000 રૂપિયા જમા કરવવા જોઇએ. આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ ઘણીવાર કહી ચૂક્યા છે કે સરકારે ગરીબ વર્ગના લોકોને સીધી રોકડ મદદ કરવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.